રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા21 ડિસેમ્બર, 2024| Super Admin

આધારકાર્ડ અપડેટ કરાવવા : પાલનપુર જન સેવા કેન્દ્રમાં અઠવાડિયાથી ધરમના ધક્કા

આધારકાર્ડ અપડેટ કરાવવા : પાલનપુર જન સેવા કેન્દ્રમાં અઠવાડિયાથી ધરમના ધક્કા
આધારકાર્ડ અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ સહિતના અરજદારોનો ભારે ધસારો; રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડનું કે.વાય.સી કરાવવાનું ફરમાન જારી કરાયું છે. જેને લઈને આધારકાર્ડ અપડેટ કરાવવા માટે પાલનપુર જન સેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે. જોકે, તંત્રની અણ આવડતને કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા એક અઠવાડિયાથી ધરમ ધક્કા ખાઈ હેરાનગતિ ભોગવી રહ્યા છે. પાલનપુર જન સેવા કેન્દ્રમાં હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી લાઈનો વચ્ચે ભારે અવ્યવસ્થા અને ધક્કામુક્કી જોવા મળી રહી છે. આધાર અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ જન સેવા કેન્દ્રમાં આવે છે. પરંતુ કાઉન્ટર વધુ ન હોઈ અરજદારો નો ભારે ધસારો જોતા મોટાભાગ ના અરજદારોને ચારથી પાંચ દિવસના ધરમ ધક્કા ખાવા છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થયું ન હોવાનો બળાપો વાલીઓએ ઠાલવ્યો હતો. જોકે, જન સેવા કેન્દ્રમાં ભારે ધસારા વચ્ચે અવ્યવસ્થા સર્જાતી હોઈ સવારે 6 વાગ્યાથી આવેલા અરજદારોને પણ ન્યાય મળતો નથી. શાળા કોલેજના વિદ્યાર્થી ઓ અભ્યાસ બગાડીને લાઈનમાં ઉભા રહે છે. છતાં ટોકન ન મળતા તેમનું કામ થતું ન હોઈ તેઓ વધુ સારી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. જન સેવા કેન્દ્રમાં દિવસના મર્યાદિત ટોકન જ આપવામાં આવતા હોઈ આજે તો રીતસરની પડાપડી, ધક્કામુક્કી અને ભારે હંગામા વચ્ચે અવ્યસ્થા સર્જાઈ હતી. ત્યારે તંત્ર વધુ કેન્દ્રો ખોલી લોકોને હાલાકીમાંથી છુટકારો અપાવે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર