બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શક્કર ટેટી, તરબૂચ અને બાજરીના પાકને લાખો રૂપિયાનું નુકશાન થતાં ખેડૂતો બેહાલ બન્યા છે.ત્યારે નુકશાનના વળતર પેટે સરકાર દ્વારા કોઇ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ સીઝનમાં ખેડૂતો શક્કર ટેટી અને તરબૂચનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે. ખાદ્યાન્ન બાજરીનું પણ વાવેતર ખેડૂતો કરે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબકતાં ખેતીના પાકોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. જ્યારે શક્કર ટેટી અને તરબૂચના વેલાઓ તૂટી ગયા છે. જ્યારે બાજરીના પાકનો સોથ વળી ગયો છે. તેથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે ખેડૂતોને બીજી તરફ શક્કર ટેટી અને તરબૂચનો પાક આ વર્ષે માત્ર 70 ટકા મળ્યો છે. ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે. તેથી નુકશાનના વળતર પેટે સરકાર દ્વારા કોઇ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે. આ અંગે માલગઢના ખેડૂત વિજયકુમાર ગોવિંદજી ગેલોતે જણાવ્યું હતું કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં બાજરી સહિત શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો કરેલ છે. પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઇ છે. ત્યારે નુકશાનના વળતર પેટે સરકાર કોઇ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
ડીસામાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને વ્યાપક નુકશાન

ટેગ્સ:#Watermelon#Banaskantha District#Agricultural Policy#Agricultural Damage#government support#Unseasonal Rains#Crop Losses#Sugarcane#Millet#Farmer Compensation#Meteorological Forecast#Natural Calamities
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવૈશાખી વાયરાનો કહેર: સરહદી પંથકમાં પવનની પંખે ચડી ધૂળની ડમરીઓ!
20 કલાક પહેલા
બનાસકાંઠાડીસા મામલતદાર કચેરી ખાતે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ
20 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ: અફરાતફરી બાદ તંત્ર દોડતું થયું
21 કલાક પહેલા
બનાસકાંઠાજુનાડીસાના નવાપુરા વિસ્તારના લોકો દૂષિત પાણી પીવા મજબૂર, પંચાયત સામે રોષ
22 કલાક પહેલા
