રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા6 મે, 2025| Super Admin

ડીસામાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને વ્યાપક નુકશાન

ડીસામાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને વ્યાપક નુકશાન

બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શક્કર ટેટી, તરબૂચ અને બાજરીના પાકને લાખો રૂપિયાનું નુકશાન થતાં ખેડૂતો બેહાલ બન્યા છે.ત્યારે નુકશાનના વળતર પેટે સરકાર દ્વારા કોઇ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ સીઝનમાં ખેડૂતો શક્કર ટેટી અને તરબૂચનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે. ખાદ્યાન્ન બાજરીનું પણ વાવેતર ખેડૂતો કરે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબકતાં ખેતીના પાકોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. જ્યારે શક્કર ટેટી અને તરબૂચના વેલાઓ તૂટી ગયા છે. જ્યારે બાજરીના પાકનો સોથ વળી ગયો છે. તેથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે ખેડૂતોને બીજી તરફ શક્કર ટેટી અને તરબૂચનો પાક આ વર્ષે માત્ર 70 ટકા મળ્યો છે. ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે. તેથી નુકશાનના વળતર પેટે સરકાર દ્વારા કોઇ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે. આ અંગે માલગઢના ખેડૂત વિજયકુમાર ગોવિંદજી ગેલોતે જણાવ્યું હતું કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં બાજરી સહિત શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો કરેલ છે. પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઇ છે. ત્યારે નુકશાનના વળતર પેટે સરકાર કોઇ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

સંબંધિત સમાચાર