રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા30 મે, 2026| Super Admin

બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી, કલેક્ટર તંત્ર દ્વારા APMC અને ખેડૂતોને એલર્ટ

બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી, કલેક્ટર તંત્ર દ્વારા APMC અને ખેડૂતોને એલર્ટ

બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો અને વેપારી ભાઈઓ માટે હવામાન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી એક ખૂબ જ મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા દ્વારા હાઈ એલર્ટ જાહેર કરી સાવચેતીના પગલાં લેવા કડક સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા ૩૦ મે થી ૩૧ મે ૨૦૨૬ સુધી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એટલે કે APMC અને તેના પેટા કેન્દ્રોને તાકીદ કરવામાં આવી છે કે, ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ અને અનાજની બોરીઓ વરસાદી પાણીથી પલળી ન જાય તે માટે તાત્કાલિક શેડ અથવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત ડિઝાસ્ટર શાખા દ્વારા ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે, માર્કેટ યાર્ડમાં અનાજ લાવતી વખતે કે પરિવહન દરમિયાન પાક સુરક્ષિત રહે તેની કાળજી રાખે. જો કોઈ પાક ખેતરમાં કાપેલો પડ્યો હોય, તો તેને તાત્કાલિક તાડપત્રીથી ઢાંકી દેવા અપીલ કરાઈ છે. 

સંબંધિત સમાચાર