અંદાજે વાર્ષિક વીસ કરોડનું ટનૅઓવર કરતી વડગામ તાલુકાના ખેડૂતો ની સંસ્થા વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સંચાલક મંડળના 16, ડિરેક્ટરોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જે સંદર્ભે ચેરમેન વાઈસ ચેરમેનની વરણી કરવા ચુંટણી અધિકારી, પ્રાંત અધિકારી પાલનપુર ડો.ડી.એ.ભારાઈની અધ્યક્ષતામાં મંગળવારે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ વડગામ ખાતે સંચાલક મંડળની બેઠક યોજાઈ હતી.
જેમાં ચેરમેન તરીકે કેશરભાઈ પી.ચૌધરી (કે.પી.) તથા વાઈસ ચેરમેન યાસીનખાન જુણકીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત ચેરમેન, વાઈસ ચેરમેનનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ચુંટણી અધિકારી સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. મેનેજર વિનોદભાઈ ચૌધરી, સેક્રેટરી માંઘજીભાઈ જી.ધુળીયા સહિત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના વહીવટી સ્ટાફ દ્વારા ચુંટણી પ્રક્રિયાનું સફળ સંચાલન કર્યું હતું. એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ, પુવૅ ચેરમેન કાળુભાઈ રાતડા, વાઈસ ચેરમેન ભગવાન સિંહ સોલંકી સહિત તમામ સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.





