ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી; ઊંઝા શહેરમાં આવેલ શ્રી જી.મ.કન્યા વિધાલયમાં ધોરણ 12 અભ્યાસ કરતી અને છાત્રાલયમાં રહેતી 17 વર્ષીય વિધાર્થનીએ હોસ્ટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ બેચરાજી તાલુકાના હાંસલપુર ગામે સુથારવાસ ખાતે રહેતા અજયભાઈ રતિલાલ સુથાર ની પુત્રી યશિતા ઉવ 17 ઊંઝા શહેરમાં સરદાર ચોક ખાતે કન્યા વિધાલય ખાતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરે છે. અને ત્યાજ જી મ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરે છે. જેઓના મોબાઇલ ફોન પર ગૃહમાતાનો ફોન આવેલ કે દીકરી યશીતાએ સ્યુસાઇડ કરેલ છે. જેથી તેઓ ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ગઇ તા. 3 સપ્ટેમ્બર 2025 ના સાંજના સમયે હોસ્ટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ પંખા વડે દુપટ્ટા વડે લટકીને ખાધો છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા; કન્યા છાત્રાલયમાં ધો.૧૨ ની વિધાર્થિનીએ ગળે ફાંસો ખાતાં ચકચાર

ટેગ્સ:#Unjha#student#police investigation#Unjha Civil Hospital#Accidental Death Case#G.M. Girls' Hostel#Hansalpur Village#Becharaji Taluka#Educational Pressure
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરમાં નોકરીના નામે છેતરપિંડી: L&Tમાં નોકરી અપાવવાના બહાને લાખો પડાવનાર પાર્થ પટેલ સામે ફરિયાદ
1 દિવસ પહેલા
મહેસાણામસાલા નગરીમાં મંદીનો ફટકો: ઊંઝામાં જીરાના ઘટતા ભાવે જગતના તાતની મુશ્કેલી વધારી
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં ગૌ ભક્તોનો હુંકાર: ગૌમાતાને 'વિશ્વ માતા'નો દરજ્જો આપવા વિશાળ રેલી યોજાઈ
1 દિવસ પહેલા
મહેસાણારાધનપુરમાં લેન્ડ ગ્રેબિંગ પર તંત્રનો હથોડો: 5734 ચોરસ મીટર સરકારી જમીન પરના જૂના દબાણોનો સફાયો
2 દિવસ પહેલા
