પ્રકૃતિ અને પ્રાચીન વારસાના સાનિધ્યમાં યોગાભ્યાસ દ્વારા નિરોગી જીવનનો સંદેશ
સાબરકાંઠા જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના આઇકોનિક સ્થળ તરીકે પસંદ કરાયેલા ઐતિહાસિક ઈડરિયો ગઢ ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિ અને ઐતિહાસિક વારસાની વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પ્રશિક્ષિત યોગ ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સહભાગીઓએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. પર્વતીય અને કુદરતી વાતાવરણમાં યોજાયેલા યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને માનસિક શાંતિનો સંદેશ પ્રસર્યો હતો. "Yoga for Healthy Ageing" થીમને અનુરૂપ આયોજિત આ કાર્યક્રમમાં યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.





