જિલ્લામાંથી વાવાઝોડા અને વરસાદના કારણે સર્જાયેલી એક અત્યંત દૂઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી રહી છે. ગઈકાલે મોડી રાત્રે આખા જિલ્લામાં ત્રાટકેલા પ્રચંડ વાવાઝોડા અને તોફાની વરસાદના કારણે અલગ-અલગ બે ઘટનાઓમાં એક મહિલા અને એક પુરુષનું કરુણ મોત નીપજ્યું છે.પહેલી હૃદયદ્રાવક ઘટના વાવ તાલુકાના માડકા ગામમાં બની છે. જ્યાં ભારે પવન વચ્ચે પોતાની વાછરડીને બચાવવા જઈ રહેલા ૪૨ વર્ષીય ભગવાનભાઈ પટેલ પર લોખંડી પતરાનો આખો શેડ ધરાશાયી થઈ ગયો હતો. શેડ નીચે દબાવાને કારણે ભગવાનભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેથી પરિવારમાં કાળો આક્રંદ છવાયો છે. જ્યારે બીજી ઘટના ભાભર તાલુકાના તનવાડ ગામમાં ઘટી છે. જ્યાં રાત્રિ દરમિયાન ફૂંકાયેલા જોરદાર પવનને કારણે એક વિશાળ લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ કાળમુખા વૃક્ષ નીચે દબાઈ જવાથી ૬૦ વર્ષના કાશુબેન વાઘેલાનું પણ કમનસીબ મોત નીપજ્યું છે.
કુદરતના આ પ્રકોપમાં બે હોનહાર નાગરિકો ગુમાવતા સમગ્ર વાવ-થરાદ અને ભાભર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માડકા ગામના મૃતક ભગવાનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ આપત્તિમાં ભોગ બનેલા પરિવારોને તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
વાવાઝોડાના કારણે વાવના માડકા અને ભાભરના તનવાડમાં બે ના કરુણ મોત

સંબંધિત સમાચાર
વાવ-થરાદસુઈગામ પોલીસ કસ્ટડીમાં દલિત યુવકના મોત પર હોબાળો, પરિવારજનોનો આક્રોશ
12 કલાક પહેલા
વાવ-થરાદદૈયપ ગામની શાળામાં વિદ્યાર્થિનીના શારીરિક શોષણ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
વાવ-થરાદકાંકરેજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘનું આવેદનપત્ર
3 દિવસ પહેલા
વાવ-થરાદવાવ પોલીસ દ્વારા ખાસ એન્ટ્રી ટેરર સિક્યુરિટી અંતર્ગતની મોર્કડ્રિલ યોજાઈ
3 દિવસ પહેલા
