રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ19 જૂન, 2025| Super Admin

વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત સમોડા ખાતે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત સમોડા ખાતે બે દિવસીય યોગ શિબિર યોજાઈ
શિબિરમાં વિધાર્થીઓને રોજિંદા જીવનમાં યોગ અને પ્રાણાયામ કરવાના ફાયદાઓ વિશે સમજ અપાઈ; આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા ખાતે ૧૧ માં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે "યોગ મહાકુંભ ઇવેન્ટ" અંતર્ગત એમ.જે.મોમીન કિસાન હાઈસ્કૂલ ખાતે બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ યોગ શિબિરમાં મેડિકલ ઓફિસર ડૉ.રાહુલ ડી.સોલંકી દ્વારા વિધાર્થીઓને રોજિંદા જીવનમાં યોગ અને પ્રાણાયામ કરવાના ફાયદાઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી. યોગથી તણાવ દૂર થાય છે, એકાગ્રતા વધે છે યોગ શરીરમાં માનસિક ફેરફારો પણ લાવે છે. ઘણા લોકો મનની શાંતિ માટે વારંવાર યોગ કરે છે. આ ઉપરાંત મગજને લગતી બીમારીઓ તેમજ મેદસ્વિતા પણ યોગ કરવાથી મટાડી શકાય છે. આ શિબિરમાં હાઇસ્કૂલના આચાર્ય કમાલખાન ચાવડાએ પણ યોગ અને પ્રાણાયામમાં ભાગ લઈ  વિધાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. અને યુવાનો વધુમાં વધુ યોગ તરફ આગળ વધે એવું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર