બેરિકેટ પર સિગ્નલ લાઈટ લગાવવાની વાહન ચાલકોએ માંગ કરી
સરસ્વતી તાલુકાના કોઈટા ગામે આવેલા બ્રિજ પર બેરિકેટ સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.તંત્ર દ્વારા ભારે અને ઓવરહાઈટ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા માટે બ્રિજના બંને છેડે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. પાટણ તરફથી આવતા બ્રિજથી થોડે દૂર આવેલા બેરિકેટ પર સિગ્નલ લાઈટ ન હોવાને કારણે આ અકસ્માત થયો હતો.અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન થયું હતું અને તે બેરિકેટ નીચે ફસાઈ ગઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વખત આવો અકસ્માત બન્યો છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. બેરિકેટ પર સિગ્નલ લાઈટ લગાવવાની વાહન ચાલકો એ માંગ કરી હતી.





