- સચિન બાબુભાઈ ભોઈ
- અનિલ રમેશભાઈ ભોઈ
- શૈલેષ નારણભાઈ ભોઈ
- રાજેશ ચંદુભાઈ ભોઈ (તમામ રહે.ઇડર ભોઈ વાડા)
ઈડર નજીક ટ્રિપલ અકસ્માતમાં ભોય સમાજના ચાર યુવાનના કરૂણ મોત : પંથકમાં માતમ છવાયો

15 ડિસેમ્બર રેવાસ પાસે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ આજે ઈડરમાં કાળજું કંપાવી દે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર ભોઈ સમાજના ચારેય યુવાનના મૃતદેહોનું પીએમ કર્યા બાદ જ્યારે તેમને ભોઈવાડા લાવવામાં આવ્યા, ત્યારે આખું નગર હિબકે ચઢ્યું હતું. કડિયા કામ કરી પરિવારનો ગુજારો કરતા આ ચાર આશાસ્પદ યુવાનની અર્થી એક જ ફળિયામાંથી એકસાથે ઉઠતાં સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો હતો.
ભોઈ સમાજના આગેવાનોના નિર્ણય મુજબ, ચારેય મિત્રની અંતિમયાત્રા એકસાથે કાઢવામાં આવી હતી અને સ્મશાનમાં એકસાથે જ અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. એક જ સમાજના ચાર-ચાર યુવાનની ચિતા એકસાથે સળગતી જોઈ હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે ઈડરના ભોઈવાડા વિસ્તારમાં ચુસ્ત શોક પાળવામાં આવ્યો હતો.
મૃતકોના નામ
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ બેઠક યોજાઈ
17 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર પાલિકા: મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કરોડોના કામનું ખાતમુહૂર્ત
17 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં રામમંદિરના દાન મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં મેઘતાંડવ: એક કલાકમાં ૨ ઇંચ વરસાદથી હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ
2 દિવસ પહેલા
