રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા29 જાન્યુઆરી, 2025| Super Admin

નૌકાબેન પ્રજાપતિએ આપેલ નિવેદનનો મુદ્દો ગરમાયો; રાજીનામાની માંગ,મામલતદાર કચેરી આવેદનપત્ર

નૌકાબેન પ્રજાપતિએ આપેલ નિવેદનનો મુદ્દો ગરમાયો; રાજીનામાની માંગ,મામલતદાર કચેરી આવેદનપત્ર
ભાભરમાં 26 જાન્યુઆરીના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી તૃષ્ટિકરણ અને વોટબેંકના કારણે અનામત દુર કરી શક્યા નથી. અનામત માથાના દુઃખાવા સમાન ગણાવ્યો હતો. જેને લઇ નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી આપેલ નિવેદનનો મુદ્દો ગરમાયો હતો. જેને લઇ મંગળવારના રોજ નૌકાબેન પ્રજાપતિ દ્વારા આપવામાં આવેલ અનામત વિરુદ્ધના નિવેદનથી ભાભર તાલુકાના એસી, એસટી અને ઓબીસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભાભરના એસી, એસટી અને ઓબીસી સમાજના લોકોએ મામલતદાર કચેરી પાસે એકત્રિત થઈને નારેબાજી કરી હતી. અને નૌકાબેનના રાજીનામાની માંગ કરી હતી. તેમજ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી માફી માગે તેવી પણ માંગ કરવામાં આવી હતી.પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપીને કાર્યવાહીની માંગ કરાઈ હતી. દલિત યુવા આગેવાન ખેમાભાઈ શંકરભાઈ પરમારે જણાવ્યુ હતુ કે, ભાજપ પ્રદેશમંત્રીએ અનામત વિરુદ્ધ જે વાણી વિલાસ કર્યો છે. તે માટે અમે મંગળવારે પોલીસ અને મામલતદારને રજૂઆત કરી છે. કે, 48 કલાકની અંદર ભાજપના પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિ જાહેરમાં માફી માગે,અથવા તેમના પર જરૂરી પગલાં લેવામાં આવે, જો 48 કલાકમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો, પ્રથમ તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવશે, પોલીસ વડાની કચેરીનો ઘેરાવો કરવામાં આવશે અને બનાસકાંઠા બંધની એલાન પણ આપવામાં આવશે.

સંબંધિત સમાચાર