વાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં કેનાલ માં બળતણ કરી ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન કર્યું વાવ તાલુકાની સરહદી પાક સીમાડે આવેલા રાઘનેસડા ગામે આકોલી બ્રન્ચ માંથી રાઘનેસડા માઇનોર પસાર થાય છે. આ કેનાલ માં છેલ્લા એક માસ થી પાણી છોડાતું નથી અત્યારે રવિ સિઝન ચાલુ હોઈ ખેડૂતો એ મોંઘા ડાટ બિયારણો તેમજ ખાતર લાવી જીરા સહિત અન્ય રવિ પાકો નું વાવેતર કરેલ છે. પાણી ના અભાવે રવિ પાક મુરઝાઈ રહ્યો છે.ખેડૂતો ની નર્મદા કેનાલ ના અધિકારી ઓ ને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર પોકળ વચનો અપાય છે પાણી અપાતું નથી. જેથી કરીને ગતરોજ રાઘાનેસડા ના ખેડૂતો એ અધિકારીઓ ના કાન ખોલવા માટે કેનાલ માં બળતણ કરી ઢોલ વગાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.






