હિટ એન્ડ રન કેસમાં તથ્ય પટેલને રાહત મળી છે, તથ્ય પટેલના 7 દિવસના હંગામી જામીન મંજૂર કરાયા છે, માતાની સારવાર માટે માંગ્યા હતા જામીન અને ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલના જામીન કર્યા મંજૂર અને ટ્રાયલ કોર્ટે રિજેક્ટ કર્યા હતા તથ્ય પટેલના જામીન. ઇસ્કોન બ્રિજ પર દોઢેક વર્ષ પહેલા મધરાત્રે બેફામ રીતે જગુઆર કાર ચલાવી 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટે 7 દિવસના જામીન આપ્યા છે. આ પહેલા પણ તથ્યએ જેલમાંથી બહાર આવવા પણ પ્રયત્નો કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહતો. અંતે તથ્યએ તેની માતાની કરોડરજ્જુની મોટી સર્જરી માટે જામીનની અરજી કરી હતી, જે હાઈકોર્ટે મંજૂર કરી છે. આગામી 12 મેના રોજ માતાને કરોડરજ્જુની સર્જરી થવાની છે. તથ્ય પટેલ જેગુઆર કારમાં પોતાના મિત્રો સાથે કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબવાળા એસજી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે ઇસ્કોન બ્રીજ પર એક થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને પોલીસ જવાનો સહિત ઘણાં લોકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી રહ્યા હતા, તે સમયે તથ્ય પટેલની જેગુઆર કાર આશરે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે આવીને રસ્તા પર 8 લોકોના સ્થળ પર જ મોત નીપજાવી દીધા હતાં, જ્યારે એક વ્યક્તિ હૉસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી.
તથ્ય પટેલના જામીન મંજૂર; માતાની સારવાર માટે માંગ્યા હતા જામીન

ટેગ્સ:#Gujarat High court#public safety#legal proceedings#Emergency Response#Community Impact#Reckless Driving#Criminal Justice#Accident Investigation#Judicial System#Bail Granted#Tatya Patel#Hit and Run Case#Mother's Treatment#Spinal Surgery#Interim Bail#ISKCON Bridge Accident#Jaguar Car Incident#Traffic Fatalities#Trial Court Rejection
સંબંધિત સમાચાર
ગુજરાતજીમ ટ્રેનરે ઉદ્યોગપતિની પત્ની સાથે મિત્રતા કરી, બ્લેકમેલ કરીને 5 લાખ રૂપિયાની માંગણી કરી
2 દિવસ પહેલા
ગુજરાતવલસાડમાં મામલતદારે ટ્રેન નીચે પડતું મૂક્યું
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં 'હીટવેવ'ની ચેતવણી: અંબાલાલ પટેલની આગાહી, પારો 45 ડિગ્રીને પાર જશે
4 દિવસ પહેલા
ગુજરાતપગપાળા ચાલી રહેલા યાત્રાળુઓને ટ્રકે કચડી નાખ્યા, 7 લોકોના મોત
5 દિવસ પહેલા
