ભર શિયાળે સુઇગામ તાલુકાની ધનાણા બેણપ માઇનોર કેનાલ તૂટી જતાં સુઇગામ તાલુકાના ચાળા ગામના ખેડૂતના ખેતરમાં તૈયાર થયેલો ઉભો ચણાના પાકનો સફાયો બોલી ગયો છે. આ મુદ્દે પીડિત ખેડૂતે મીડિયા સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ચોમાસામાં કુદરત રૂઠી હતી. પુર આવતા ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.ત્યાર બાદ વ્યાજે નાણાં લાવી શિયાળુ પાકમાં ચણાના પાકનું વાવેતર કર્યું હતું. તૈયાર થયેલો લાખો રૂપિયાના પાક કાપી લેવાનો હતો તે પહેલાં જ તૈયાર થયેલા ચણાના પાકમાં કેનાલ તૂટી જવાથી ખેતરમાં પાણી ભરાઈ જવાથી મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે આ પીડિત ખેડૂતની નોંધ લઈ નર્મદા વિભાગ સર્વે કરી યુદ્ધના ધોરણે સહાય અપાવે તેવી પીડિત ખેડૂતની પ્રબળ માંગ છે.
સુઇગામની ધનાણા બેણપ માઇનોર તૂટી જતા ખેડૂતોના ખેતરમાં પાણી ઘુસ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
9 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
10 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
10 કલાક પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
12 કલાક પહેલા
