રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા2 જૂન, 2026| Super Admin

વાવાઝોડા અને વરસાદથી ભારે તારાજી, ખેડૂતો મુશ્કેલીમાં

વાવાઝોડા અને વરસાદથી ભારે તારાજી, ખેડૂતો મુશ્કેલીમાં

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે અચાનક વાવાઝોડા અને ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. મધરાતે શરૂ થયેલા આ કુદરતી પ્રકોપને કારણે અનેક વિસ્તારોમાં મિલકતોને ભારે નુકસાન થયું છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, આ આખી ઘટના રાત્રિના સમયે ઘટી હોવાથી સદનસીબે એક મોટી જાનહાનિ ટળી છે.​વાવાઝોડાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ડીસા સ્થિત એક કોલ્ડ સ્ટોરેજનો વિશાળ લોખંડી શેડ પળવારમાં ધરાશાયી થઈ ગયો હતો. શેડના મોટાભાગના પતરાં હવામાં ઉડીને દૂર-દૂર આવેલા ખેતરોમાં જઈને પડ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, કોલ્ડ સ્ટોરેજના માલિકને આ આકસ્મિક આપત્તિના કારણે આશરે ₹25થી ₹30 લાખનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે  ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલો બાજરીનો પાક વરસાદી પાણીમાં પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાચા ઘરો અને પશુઓના શેડ પરથી પતરાં ઉડી જતાં લોકો આખી રાત ફફડાટમાં જીવ્યા હતા. વાવાઝોડું મધરાતે ત્રાટક્યું હોવાથી લોકો ઘરોમાં હતા અને કોલ્ડ સ્ટોરેજ કે માર્કેટયાર્ડમાં કોઈ અવરજવર નહોતી, જેથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

વાવ-થરાદ પંથક અને ખાસ કરીને લાખણી તાલુકાના લાલપુર ગામે ગઈકાલે આવેલા તોફાની વાવાઝોડા અને ભારે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે, જેના કારણે સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રચંડ વેગથી ફૂંકાયેલા વાવાઝોડાના કારણે લાલપુર ગામમાં અનેક કાચા મકાનો અને પશુઓના પતરાના શેડ હવામાં ઉડી ગયા હતા. એટલું જ નહીં, વીજળીના થાંભલા અને મોટા વૃક્ષો ધરાશાયી થવાના કારણે ગામનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને અવર-જવરના રસ્તાઓ બંધ થઈ ગયા છે. 

સંબંધિત સમાચાર