મુખ્યમંત્રીએ પરિવારને સાંત્વના આપી; રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલનું ૮૫ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રા સાંજે ૫ વાગ્યે વિસનગરમાં આવેલ તેમના નિવાસસ્થાનેથી નીકળી અને સિદ્ધપુર ખાતે આવેલા મુક્તિધામમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કમળાબાને પુષ્પમાળા અર્પણ કરીને ઋષિકેશભાઈ પટેલને અણધારી આવી પડેલી દુઃખ ઘડીમાં સાંત્વના પાઠવી હતી. જ્યારે ભાજપના પ્રવકતા જયરાજસિંહ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ, જીલા વિકાસ અધિકારી હસરત જૈસ્મિન, જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકતોઓએ ઉપસ્થિત રહી દિવંગત કમળાબાને પુષ્પાંજલી અર્પણ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.
રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રીનું ૮૫ વર્ષની વયે નિધન

ટેગ્સ:#Health Minister#Mehsana District#Community Support#Visnagar#Family support#Chief Minister Bhupendrabhai Patel#Last Rites#Hrishikesh Patel#Kamlaben Ganeshbhai Patel#Mother's Passing#BJP Leaders
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા : ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની દખલગીરી મુદ્દે ભાજપ-આપ આમને-સામને
8 કલાક પહેલા
મહેસાણામહેસાણા ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો : મહિલા મોરચાએ પોકાર્યો બળવો, પક્ષમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ
2 દિવસ પહેલા
મહેસાણાઊંઝા નગરપાલિકામાં ખરાખરીનો જંગ : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે
2 દિવસ પહેલા
મહેસાણારાધનપુર પાલિકાની ઘોર બેદરકારી: ગંદા પાણીના નિકાલના અભાવે રહીશો અને વેપારીઓ ત્રાહિમામ
4 દિવસ પહેલા
