બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સદરપુર ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વીરમહારાજ અને અંબાજી માતાના મંદિરોને નિશાન બનાવી તસ્કરો દાનપેટીમાંથી આશરે ૨૯,૫૦૦ રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા છે. સદરપુર ગામમાં મગરવાડીયા વીરમહારાજનું મંદિર અને નદી રોડ પર અંબાજી માતાનું મંદિર આવેલું છે. ગત તા. ૨૬/૧૧/૨૦૨૫ના રોજ સાંજે આરતી પૂજા પતાવીને મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે જ્યારે ગામના સેવક ઈશ્વરભાઈ રબારી અને પૂજારી કેશરવન ગૌસ્વામી મંદિરે પહોંચ્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. તસ્કરોએ ત્રણ દાનપેટીઓ ફંફોસી વીરમહારાજ મંદિર: મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર રાખેલી દાનપેટીનું તાળું તૂટેલું હતું. જેમાં આશરે ૪,૫૦૦ રૂપિયાની ચોરી થઈ હતી.અંબાજી માતા મંદિર અહીં જૂના અને નવા એમ બંને મંદિરોના તાળા તોડી તસ્કરોએ બે દાનપેટીઓમાંથી આશરે ૨૫,૦૦૦ રૂપિયાની મત્તા સાફ કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ વનરાજસીંગ સોલંકી સહિત અન્ય આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. ગામલોકો સાથે પરામર્શ કર્યા બાદ ઈશ્વરભાઈ રબારીએ આ અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાના સદરપુર ગામે બે મંદિરોમાં ત્રાટક્યા તસ્કરો : દાનપેટીના તાળા તોડી રૂ.૨૯,૫૦૦ની ચોરી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરના અંબિકાનગરમાં પીવાનું દૂષિત પાણી આવતું હોવાની રાવ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત મેગા ડ્રાઇવ: MD ડ્રગ્સ, ચરસ, અફીણ સહિત ₹૨ કરોડનો મુદ્દામાલ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં પ્લાસ્ટિક પર તંત્રનો 'ગ્રીનડાઉન' પ્રહાર: ૧૨૫ કિલોથી વધુ જથ્થો જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા રૂરલ: રસાણા ગામે એલસીબીની રેડ, જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
