રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા25 મે, 2025

પાલનપુર ખાતે સિંદૂર સન્માન યાત્રાનું સ્વાગત કરાયું

પાલનપુર ખાતે સિંદૂર સન્માન યાત્રાનું સ્વાગત કરાયું

ભારતે પાકિસ્તાન સામે કરેલ ઓપરેશન સિંદૂરને દેશભરમાં બિરદાવવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદથી યુવાઓ દ્વારા સિંદુર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી સિંદુર યાત્રા નીકળી છે જે દિલ્હી જશે. ઇન્ડિયા ગેટ ખાતે યાત્રા પૂરી થશે. આ યાત્રામાં 20 જેટલી ગાડી જોડાઈ છે. તમામ ગાડી ઉપર ઓપરેશન સિંદૂરની છબી દોરવામાં આવેલી છે. આ યાત્રા અમદાવાદથી નીકળીને દિલ્હી ઈન્ડિયા ગેટ સુધી જશે. રસ્તામાં ચાર અલગ અલગ રાજ્યોમાંથી યાત્રા પસાર થશે.આ દરમિયાન 22 જગ્યાએ યાત્રા રોકાશે. નાના ગામમાંથી પણ યાત્ર જશે. સમગ્ર રૂટ પર લોકોને ઓપરેશન સિંદુરનું મહત્વ સમજાવશે.દિલ્હી પહોંચીને યુવાઓ દ્વારા ઈન્ડિયા ગેટ પર સિગ્નેચર કેમ્પેઈન કરવામાં આવશે. આ સિંદૂર સન્માન યાત્રા પાલનપુર એરોમા સર્કલ ખાતે આવતા તેનું સ્વાગત કરાયું હતું.

સંબંધિત સમાચાર