રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ18 મે, 2026| Super Admin

સિદ્ધપુરમાં પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ

સિદ્ધપુરમાં પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ

નાગરિકો 17 થી 31 મે સુધી ઘરે બેઠા ઓનલાઇન માહિતી નોંધાવી શકશે

સિદ્ધપુરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણના (સેલ્ફ એન્યુમરેશન) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રથમ નાગરિક તરીકે પોતાની વિગતો નોંધાવીને આ ડિજિટલ સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો. ભારત સરકારની આ ઓનલાઇન પહેલ 17 મે થી 31 મે દરમિયાન કાર્યરત રહેશે.

આ પહેલ હેઠળ નાગરિકો ઘરે બેઠા પોતાના પરિવારની વિગતો ઓનલાઇન નોંધાવી શકશે. આ ડિજિટલ પ્રક્રિયા સમયની બચત કરશે. અને માહિતીની ચોકસાઈ તથા ગોપનીયતા જાળવવામાં મદદરૂપ થશે. દેશના વિકાસ અને સુશાસન માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ છે. આ રાષ્ટ્રીય ઝુંબેશ અંતર્ગત વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વસ્તી ગણતરી 2027માં સક્રિય સહભાગી બનવા અને સ્વગણના દ્વારા પોતાની વિગતો ઓનલાઇન નોંધાવવા માટે કેબિનેટ મંત્રી દ્રારા આહવાન કરવામાં આવ્યું હતું. વસ્તી ગણતરી દ્વારા એકત્રિત થતી માહિતી સરકારને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને રહેણાંક સહિતની જનકલ્યાણની યોજનાઓ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં સીધી રીતે મદદરૂપ બને છે. વિકસિત ભારતના નિર્માણમાં ભાગીદાર બનવાના ઉદ્દેશ્ય સાથે આ 'સ્વગણના’ અભિયાન શરૂ કરાયું હોય સૌએ સહકાર આપવા જણાવાયું છે.

ટેગ્સ:#Siddhpur#population

સંબંધિત સમાચાર