બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા જિલ્લા નાસતા ફરતા આરોપી ઓ ને પકડવાની સૂચના કરતા ડીસા Dysp ના આદેશથી શિહોરી પીઆઇ બી.એન. સાગરના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની સૂચના સબંધે શિહોરી પીઆઇ બી.એન.સાગરના માર્ગદર્શન હેઠળ શિહોરી પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગમાં હતા. ત્યારે શિહોરી પોલીસ મથકના હેડ કોસ્ટેબલ દશરતસિંહ ઠાકોરને બાતમી હકીકત મળેલ કે અમદાવાદ શહેરના ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પાકા કામ નો કેદી વિષ્ણુભા શિવુભા ઝાલા રહે અમદાવાદ વાળા છ વર્ષ પહેલા સાબરમતી જેલ માંથી પેરોલ મળેલ હતા. પેરોલ મળેલ હતા.
ત્યારબાદ આ ખૂનનો આરોપી જેલ માં હાજર થયેલ ન હતો. જે આરોપી વિષ્ણુભા શિવુભા ઝાલા મૂળ રહે ઝીંઝુવાડા તા.પાટડી અને પેરોલ પર આવ્યા. પરત જેલમાં હાજર થયેલ ન હતો. અને નાસતો ફરતો હતો. જે કેદી શિહોરી નજીકના માનપુરા (શિ) ગામેથી પકડી પાડી જેલ હવાલે કરેલ છે, જેમાં આરોપીને ઝડપવા માટેની ટીમ બી.એન સાગર પી.આઇ શિહોરી અમરસિંહ રોહિતકુમાર હૃદઆશભાઈ અરજનભાઈ દશરથસિંહ ભાવેશકુમારનાઓએ વોચ ગોઠવી છ વર્ષથી સાબરમતી જેલ નો ખૂનનો આરોપીને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.





