રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા18 એપ્રિલ, 2026| Super Admin

ડીસામાં ગટરના પાણીથી ત્રાહિમામ, વોર્ડ-૯ ના રહીશોનો ચૂંટણી બહિષ્કારનો મિજાજ

ડીસામાં ગટરના પાણીથી ત્રાહિમામ, વોર્ડ-૯ ના રહીશોનો ચૂંટણી બહિષ્કારનો મિજાજ

મદ્રેસા-એ-ગૌશિયા પાસે ગટરો ઉભરાતા અખ્ખર ચોક સુધી ગંદકીનું સામ્રાજ્ય

ડીસા નગરપાલિકા દ્વારા એકતરફ વિકાસના મસમોટા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ વોર્ડ નં. ૯ ના રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે, જેના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, ડીસામાં મદ્રેસા-એ-ગૌશિયા નજીક આવેલી ભૂગર્ભ ગટર અઠવાડિયામાં પાંચ-પાંચ દિવસ ઉભરાતી રહે છે. ગટરના ગંદા પાણી વહીને અક્ષર ચોક સુધી પહોંચી જતાં માર્ગો પર ગંદકીના સરોવરો ભરાયા છે. આ દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું સ્થાનિક રહીશો અને રાહદારીઓ માટે મુશ્કેલ બન્યું છે.

આ બાબતે સામાજિક કાર્યકર ઇસ્માઈલભાઈ શેખે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ઘર વેરો અને સફાઈ વેરો નિયમિત ઉઘરાવવામાં આવે છે, તો પછી સુવિધા આપવામાં કેમ પાછીપાની કરવામાં આવે છે? જાગૃત નાગરિક કય્યુમભાઈ શેખે આક્ષેપ કર્યો હતો કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં આ વિસ્તાર લઘુમતી બહુમતી ધરાવતો હોવાથી પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર