વૈશ્વિક આધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીના આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે માનવ માત્રના આધ્યાત્મિક શક્તિના સશક્તિકરણ માટે સંમેલન યોગા સીબીરનો આરંભ થએલ છે. જેમાં સર્વે પ્રથમ દેશોના ચારો પાંખોના સૈનિક પ્રતિનિધિઓના ત્રિદિવસીય સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહજીએ આરંભ કરાવેલ. અને હવે સમાપન સમારંભમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ બ્રહ્માકુમારીઝના મુખ્યાલય આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે આવી રહેલ છે. બ્રહ્માકુમારીના સંયોજક શશીકાંત ત્રિવેદી જણાવે છે કે રક્ષામંત્રીના કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શાંતિવનના ડાયમંડ હોલમાં વિશાળ સંખ્યામાં રાજયોગા શિબિર કરી રહેલ દેશના વિવિધ ક્ષેત્રોના સૈન્ય અધિકારીઓ દેશોની રક્ષા માટે પોતાનામાં અધ્યાત્મ શક્તિ રાજયોગા દ્વારા ભરી રહેલ છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સૈનિકોને 21 એપ્રિલના સંબોધન કરશે તથા દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આધ્યાત્મનગરી શાંતિવનનું અવલોકન કરી બ્રહ્માકુમારીઝ ગતિવિધિઓથી બ્રહ્માકુમારી બહેનો દ્વારા માહિતગાર કરશે.
રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ શાંતિવનની મુલાકાત લઇ દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

ટેગ્સ:#National Security#Rajnath Singh#Community Engagement#Home Minister Amit Shah#Brahma Kumaris#Shantivan Visit#Spiritual Empowerment#Yoga Sibir Conference#Military Representatives#Rajyoga Camp#Defense Minister Address#Tribute to Ratan Mohiniji#Spiritual City
સંબંધિત સમાચાર
બનાસકાંઠામડાલ-લાલપુર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય: ચોમાસામાં જીવના જોખમે મુસાફરી
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ડાવસમાં ગ્રીન ક્રાંતિ: 112 એકરમાં રાજ્યનું સૌપ્રથમ 'વન કવચ' તૈયાર
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં વન મંત્રીના જન્મદિવસે રક્તદાન કેમ્પ: 241 લોકોએ ડોનેશન કર્યું બ્લડ
13 કલાક પહેલા
બનાસકાંઠાકંબોઈ ચોકડી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પર ઝડપાયા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
13 કલાક પહેલા
