રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા24 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરના કોટડા (ચા) ગામે અજગરે શ્વાનનું મારણ કર્યું

પાલનપુરના કોટડા (ચા) ગામે અજગરે શ્વાનનું મારણ કર્યું
ખેતરમાં 12 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં દહેશત; પાલનપુર તાલુકાના કોટડા (ચા) ગામે ખેતર વિસ્તારમાં ઘસી આવેલ વિશાળ કાય ધરાવતાં એક અજગર એક શ્વાનના શરીર પર વીંટળાઈ જતા શ્વાસ રૂંધાઇ જવાના કારણે શ્વાનનું મોત નિપજ્યું હતું. જોકે આ અજગર કોઈ અન્ય નુકશાન પહોચાડે તે પહેલા વન વિભાગની ટીમે રેસ્કયું કરીને અજગરને પકડી પાડી તેને બાલારામ નજીક જંગલમાં મુકત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનને લઇ સરીસૃપ પ્રજાતિના ઝેરી જીવો રહેણાંક વિસ્તારમાં ઘસી આવતા હોય છે. જેમાં પાલનપુર તાલુકાના કોટડા (ચા) ગામે વીરચંદભાઇ કરશનભાઇ પ્રજાપતિ નામના ખેડૂતના ખેતરમાં એક 12 ફૂટ લાંબો અજગર આવી ચડયો હતો અને આ અજગર એક શ્વાન સાથે વીંટળાઈ જતા શ્વાનનું મોત નિપજ્યું હતું. જેને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને બનાવ અંગે વન વિભાગમાં જાણ કરવામા આવતા ફોરેસ્ટની ટીમ દોડી આવી રેસ્ક્યુ કર્યું હતું જેમાં અજગરને શ્વાનથી છૂટો કરી તેને સહી સલામત રીતે બાલારામ જંગલમાં છોડી મૂકવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

સંબંધિત સમાચાર