રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા23 માર્ચ, 2025| Super Admin

ખાનગી એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો

ખાનગી એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો

અમદાવાદથી ઉત્તર પ્રદેશના અલ્હાબાદ તરફ મૃતદેહ લઈ જતી એક ખાનગી એમ્બ્યુલન્સ દલપુર ગામ નજીક અકસ્માતનો ભોગ બની છે. શનિવારે સાંજે 4 વાગ્યે અમદાવાદથી નીકળેલી એમ્બ્યુલન્સ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 49 પર દલપુર ગામ પાસેના ઓવરબ્રિજ પર પહોંચી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. એમ્બ્યુલન્સ ઓવરબ્રિજના ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર યુપીના 7 પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તમામ ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર