રખેવાળ
બ્રેકિંગ
આંતરરાષ્ટ્રીય30 ઑગસ્ટ, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાપાનનો 2 દિવસનો પ્રવાસ પૂર્ણ; ચીન જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાપાનનો 2 દિવસનો પ્રવાસ પૂર્ણ; ચીન જવા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાપાનનો 2 દિવસનો પ્રવાસ શનિવારે પૂર્ણ થયો. આ ઐતિહાસિક પ્રવાસ બાદ, તેઓ હવે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીન જવા રવાના થયા છે. આ દરમિયાન તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું; ભારતીય વિદેશ મંત્રાલયે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે "જાપાનની અત્યંત સફળ મુલાકાત પૂર્ણ થઈ છે. તેનાથી ભારત-જાપાન સહયોગને વધુ ગાઢ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીનના તિયાનજિન જવા રવાના થયા છે.

સંબંધિત સમાચાર