રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા21 જાન્યુઆરી, 2026| Super Admin

બનાસકાંઠામાં જીલ્લામાં હવામાનની વિપરીત અસરને લઇ બટાકાના પાકમાં પાછોતરો સુકારા દેખા-દેખી

બનાસકાંઠામાં જીલ્લામાં હવામાનની વિપરીત અસરને લઇ બટાકાના પાકમાં પાછોતરો સુકારા દેખા-દેખી
મોંઘા ભાવના બિયારણ બાદ બટાટામાં ચરમી અને સુકારા‌થી ઉત્પાદન ઘટવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા ભાવમાં ઘટાડો અને રોગચાળાની અસરથી ખેડૂતવર્ગ પર બેવડો માર સતત બદલાતા હવામાનની વિપરીત અસરોને કારણે બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનમાં બટાકાના પાકમાં પાછોતરા સુકારા અને ચરમી (લેટ બ્લાઇટ)ના લક્ષણો દેખાવા લાગ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. રવી સીઝનમાં બટાકાનું બહોળા પ્રમાણમાં વાવેતર થતું હોય છે. આ વર્ષે બટાકાને મળેલા ઐતિહાસિક ભાવોને પગલે બિયારણના ભાવ પણ ઊંચા રહ્યા હતા. તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં કુલ ૬૪,૯૪૮ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પાકના પાંદડાં પર કાળા ટીપકા અને ગોળ ધબ્બાં દેખાવા લાગતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ બટાકામાં મુખ્યત્વે ત્રણ પ્રકારના રોગ જોવા મળે છે—અર્લી બ્લાઇટ (૩૦–૩૫ દિવસે), લેટ બ્લાઇટ (૬૦–૬૫ દિવસે) અને ફોર્મ બ્લાઇટ. હાલ લેટ બ્લાઇટ એટલે કે ચરમી અને સુકારાની અસર વધતી જણાઈ રહી છે. આ રોગના કારણે પાંદડાં ઝડપથી સુકાઈ જાય છે, જેના પરિણામે પ્રકાશસંશ્લેષણ ઘટે છે અને ગાંઠોની વૃદ્ધિ પર સીધી અસર પડે છે. પરિણામે ઉત્પાદન ઘટવાની મોટી શક્યતા છે. એક તરફ વાવેતર સમયે મોંઘા ભાવે બિયારણ લાવવામાં આવ્યું હતું અને બીજી તરફ હાલ બજારમાં બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉપરથી ઉભા પાકમાં રોગચાળો લાગતા ખેડૂતો પર બેવડો માર પડ્યો છે ત્યારે આગામી સમયમાં ખેડૂતો ને બટાટા ના કેવા ભાવો મળે છે તેના પર નજર મંડાયેલી છે          

સંબંધિત સમાચાર