રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
વાવ-થરાદ29 ડિસેમ્બર, 2025| Super Admin

વાવમાં ડી કંપનીના સોનાના દાગીના મુદ્દે પોલીસે વેપારીઓ સાથે બેઠક યોજી

વાવમાં ડી કંપનીના સોનાના દાગીના મુદ્દે પોલીસે વેપારીઓ સાથે બેઠક યોજી

વાવ- થરાદ જિલ્લાના વાવમાં ડી કંપનીના સોનાના દાગીના વેચવાના કારસ્તાનના થયેલા પર્દાફાશ બાદ પોલીસે  તાબડતોબ સોના -ચાંદીના વેપારીઓની એક બેઠક બોલાવી ગેરકાયદે વ્યવસાય ન કરવાની તાકીદ કરી હતી.  'રખેવાળ' દૈનિકમાં વાવમાં ડી કંપનીના સોનાના દાગીના બનાવી અભણ અને ભોળી પ્રજા સાથે થતી છેતરપીંડી મુદ્દે ગઈકાલે વિગતવાર અહેવાલ પ્રસારીત થયો હતો.જેને ગંભીરતાથી લઈ વાવ પી.આઈ. એ.આર. ખત્રીએ આજે વાવ શહેરના સોની બજારમાં સોની એસોસિએશનના વેપારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ બજારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ ગ્રાહકોની સુરક્ષા અને વિશ્વાસ જાળવવાનો હતો. બેઠક દરમિયાન, ડુપ્લીકેટ સોના, 'ડી કંપની' ના સોના કે કોઈપણ પ્રકારના ચોરીના ઘરેણાંની ખરીદી કે વેચાણ ન કરવા અંગે સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી. અને સોની વેપારીઓને કાયદાનું પાલન કરીને વ્યવસાય કરવા અને શંકાસ્પદ વ્યવહારો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, દરેક દુકાનમાં ફરજિયાતપણે એક વ્યવહાર રજીસ્ટર રાખવા અને તેમાં સોના-ચાંદીના તમામ વ્યવહારોની નોંધ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સોની એસોસિએશનના વેપારીઓએ પણ પોલીસની આ સૂચનાઓને આવકારીને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.    

સંબંધિત સમાચાર