રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ27 જુલાઈ, 2025| Super Admin

ચંદ્રુમણા ગામે પાણી પુરવઠાના બોરની પાણીની મુખ્ય પાઈપ લાઈન અજાણ્યા શખ્સે તોડી નાખતા લોકો પાણી વીના રહ્યા

ચંદ્રુમણા ગામે પાણી પુરવઠાના બોરની પાણીની મુખ્ય પાઈપ લાઈન અજાણ્યા શખ્સે તોડી નાખતા લોકો પાણી વીના રહ્યા

અજાણ્યા શખ્સ સામે સરપંચ દ્ધારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ; પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં પાણી પુરવઠાના બોર ઉપર પાણી સપ્લાય કરતી મુખ્ય પાઈપલાઈન કોઈ અજાણ્યા શખ્સે કાપી નાખતા લાખો લીટર પાણી વેડફાઈ જતાં લોકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો. ચંદ્રુમાણા ગ્રામ પંચાયતના બોર ઉપર ઓપરેટર તરીકે કામ કરતા ઠાકોર નાનાજી હમીરજી 24 જુલાઈના રોજ સવારે બોર ચાલુ કરીને ગામમાં પાણી પહોંચાડ્યું હતું. બપોરે બોર બંધ કરી બોરની ઓરડી અને પાણીના વાલની જગ્યાના વરંડાને તાળા મારી તેઓ ઘરે જમવા ગયા હતા. લગભગ 1:30 વાગે પરત આવતાં તેમણે જોયું કે કોઈએ પાણીની પાઇપલાઇન તોડી નાખી છે અને મોટા ફોર્સથી પાણી નીકળી રહ્યું હતું. તેમણે પાણી બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બંધ થયું નહીં. બોરના વાલને કોઈએ કાપી નાખતાં પંચાયતની સંપત્તિને નુકસાન થયું હતું. આ અંગે શુક્રવારે સરપંચ કાજલબેન વ્યાસ, ચેતનભાઇ વ્યાસ અને ગ્રામ પંચાયતના સભ્યો પાટણ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદને પગલે સાંજે પાટણ તાલુકા પીઆઈ પટેલે ચંદ્રુમાણા ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો સાથે બેઠક કરી હતી.ત્યારબાદ તેમણે ઘટના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. પીઆઈ એ તપાસમાં જે કંઈ બહાર આવશે તેને ગંભીરતાથી લઇ પગલાં લેવાની ખાતરી આપી છે. હાલ પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર