રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા10 જાન્યુઆરી, 2025| Super Admin

ધાનેરા તાલુકાને બનાસકાંઠા જીલ્લા સાથે રાખવા માટે લોકોએ લાલચોક ખાતે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજ્યો

ધાનેરા તાલુકાને બનાસકાંઠા જીલ્લા સાથે રાખવા માટે લોકોએ લાલચોક ખાતે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજ્યો
ધાનેરા લાલચોક ખાતે હિત રક્ષક સમિતિના બેનર હેઠળ પ્રતિક ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ડો. મખ્ખનલાલ અગ્રવાલ, ડામરાજી રાજગોર, બળવંતભાઇ બારોટ, દિનેશભાઇ પટેલ, હરિસિહ રાજપુત, ઇશ્વરભાઇ ચૌધરી, જયેશભાઇ સોલંકી સહિત અન્ય હિત રક્ષક સમિતીના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરીકો હાજર રહ્યા હતા. તમામ એક જ માંગ કરી રહ્યા હતા કે ધાનેરા તાલુકાને વાવ થરાદમાં નહી પરંતુ તેને બનાસકાંઠા માં જ રાખવા માં આવે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઇએ જણાવ્યું કે અમે ગાંધીનગર પહાંચી બનાસકાંઠા પ્રભારી તેમજ મુખ્યમંત્રી ને રજુઆત કરી હતી પરંતુ હજુ સુધી તેમનો કોઈ નક્કર જવાબ ન આવતા આજે ધરણા યોજવાની ફરજ પડી છે ધાનેરા તાલુકા ને વાવ થરાદ નહીં પણ બનાસકાંઠામાં જ રાખવામાં આવે એ જ અમારી સરકાર પાસે માંગ છે. પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે કહ્યું કે મારે ચૂંટણી લડવી નથી ઉંમર થઈ છે છતાં ધાનેરા ને અન્યાય થાય એ ક્યારેય સહન ન થાય મારે રાજકીય રોટલા નથી શેકવા પણ ધાનેરા નું હિત જોવું છે. આ બાબતે ધાનેરાના અન્ય લોકોએ પણ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જીલ્લામાં રાખવા માટે ઉગ્ર રજુઆતો કરતા જોવા મળ્યા હતા અને આગામી સમયમાં વધું ઉગ્ર આંદોલનની પણ ચીમકીઓ આપી હતી.

સંબંધિત સમાચાર