રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા13 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસામાં મહા શિવરાત્રી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસામાં મહા શિવરાત્રી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવવાનો સંકલ્પ ડીસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિવસેવા સમિતિ દ્વારા વિશાળ શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી આજે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ​​ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ.  એમ.બી. કોટવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પી.આઈ. કોટવાલે યાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે આયોજકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તમામ સમાજના આગેવાનોએ એકસૂરે ડીસાની ભાઈચારાની પરંપરા જાળવી રાખી ઉત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવવાની ખાતરી આપી હતી. ​શિવસેવા સમિતિ દ્વારા જણાવ્યા અનુસાર  આ ભવ્ય યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભક્તિમય માહોલમાં ફરશે. યાત્રાને શિસ્તબદ્ધ બનાવવા માટે સમિતિના સ્વયંસેવકો દ્વારા અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.  

સંબંધિત સમાચાર