રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા1 જુલાઈ, 2025| Super Admin

પાવાગઢ; બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા

પાવાગઢ; બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં એસટી બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે કારનું એન્જિન અને એસી ચાલુ હાલતમાં જ હતાં, જેથી બંનેએ નાસ્તા સાથે ઝેરી પદાર્થ ઘોળી આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે, જોકે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઇ ખુલાસો ન થતાં હાલ FSL સેમ્પલ સુરત મોકલવામાં આવ્યાં છે. આ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. ઘટનાની જાણ થતાં જ પાવગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને અને તપાસ કરતાં કારનું એન્જિન અને AC પણ ચાલુ હાલતમાં જોવા મળ્યાં હતાં. પોલીસે એક્સપર્ટની મદદથી કારનો લોક ખોલતાં પાછળની સીટ પરથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહને કારમાંથી બહાર કાઢી હાલોલ સરકારી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે મોકલાવી દીધા હતા. હિંમતનગર તાલુકાના આકોદરા ગામના અપરિણીત શ્રેયા કમલેશકુમાર પ્રજાપતિ અને આઝાદ મહેન્દ્રસિંહ રેહવર બન્ને 26 જૂનના રોજ સાંજે ઘરેથી નીકળી ગયા હતા. એ અંગે યુવતીના પિતાએ શ્રેયા ગુમ થઈ અંગેની હિંમતનગર એ ડિવિઝનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે; પંચમહાલ ગોધરા ડીવાયએસપી એ જણાવ્યું હતું કે પાવાગઢ બસ સ્ટેન્ડ સામે કારમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતાં ગાડીના દરવાજા બંધ જોવા મળ્યા હતા, પણ ગાડી ચાલુ હાલતમાં હતી. જેથી મિકેનિકને બોલાવી દરવાજો ખોલી જોતાં બંનેની લાશ મળી હતી. તેમના પરિવારને જાણ કરી પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી છે. એફએસલની મદદ સાથે મૃતદેહોનું પેનલ પીએમ કરાવી એફએસએલ ખાતે મોકલી આપ્યા છે. એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા બાદ બન્નેનાં મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

સંબંધિત સમાચાર