રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ6 ઑક્ટોબર, 2025| Super Admin

પાટણ જુનાગંજ વિસ્તારમાં પાણીના પ્રશ્ને મામલો ગરમાયો

પાટણ જુનાગંજ વિસ્તારમાં પાણીના પ્રશ્ને મામલો ગરમાયો
પુરતા પ્રેસરથી પાણી નહિ મળે તો રોડ ખોદીને માગૅને બંધ કરી દેવાની ચિમકી પાટણ શહેરના જુનાગજ બજાર વિસ્તારમાં નંદાપરાની ખડકી ખાતે છેલ્લા કેટલાક સમય થી પાણીનું પ્રેશર ઓછું આવતું હોવાની રજુઆત પગલે આ વિસ્તારના ભાજપના મહિલા કાર્યકર માનસીબેન ત્રિવેદી દ્વારા નગરપાલિકા ને રજુઆત કરી આ વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં નવીન વાલ્વ નાખી નંદાપરાની ખડકીના રહીશોની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું પરંતુ સોમવારે આજ વિસ્તારમાં આવેલી જોશીની ખકડીમાં પાણી પ્રેશરથી ન આવતુ હોવાની સમસ્યા સજૉઈ હોવાની રજૂઆત સ્થાનિક લોકોએ પાલીકા માં કરતા વોટર વર્કસ શાખાના કર્મચારીઓએ સ્થળ પર આવી ખાડો ખોદવાની કામગીરી શરૂ કરતા નંદાપરાની ખડકીના રહીશોને પાલિકાના કમૅચારીઓ વાલ્વ બંધ કરવા આવ્યા હોવાની ખોટી માહિતી મળતા તેઓએ નગરપાલિકાના કર્મચારીઓનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે પાલિકા ના કર્મચારીઓ ખાડો ખોદીને નવીન નાખેલા વાલ્વને બંધ કરવા નહીં પરંતુ તેને સેટ કરીને નંદાપરાની ખડકી સહિત જોશીની ખડકીમાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ નંદાપરાની ખડકીના સ્થાનિક રહીશોએ પોતાનો વિરોધ ચાલું રાખીને ખોદકામ ની કામગીરી અટકાવતાં જોષીની ખડકીમાં રહેતા દુર્ગાપ્રસાદ જોશીએ પણ ચિમકી આપી હતી કે, જો વાલ્વ સેટ કરીને પાલિકા તંત્ર દ્વારા જોષીની ખડકીમાં પ્રેશરથી પાણી નહીં આવે તો આખો રોડ ખોદીને બ્લોક કરી દેવાશે. શહેરના નંદાપરાની ખડકી અને જોષીની ખડકીમાં સજૉયેલ પાણીની સમસ્યા મામલે માગૅ પર બન્ને ખડકી ના રહીશોના ટોળા ઉમટી પડતા વિસ્તારનું વાતાવરણ ગરમાયું હતું.    

સંબંધિત સમાચાર