રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ6 ઑક્ટોબર, 2025| Super Admin

પાટણ જુનાગંજ વિસ્તારમાં પાણીના પ્રશ્ને મામલો ગરમાયો

પાટણ જુનાગંજ વિસ્તારમાં પાણીના પ્રશ્ને મામલો ગરમાયો
પુરતા પ્રેસરથી પાણી નહિ મળે તો રોડ ખોદીને માગૅને બંધ કરી દેવાની ચિમકી પાટણ શહેરના જુનાગજ બજાર વિસ્તારમાં નંદાપરાની ખડકી ખાતે છેલ્લા કેટલાક સમય થી પાણીનું પ્રેશર ઓછું આવતું હોવાની રજુઆત પગલે આ વિસ્તારના ભાજપના મહિલા કાર્યકર માનસીબેન ત્રિવેદી દ્વારા નગરપાલિકા ને રજુઆત કરી આ વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં નવીન વાલ્વ નાખી નંદાપરાની ખડકીના રહીશોની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું પરંતુ સોમવારે આજ વિસ્તારમાં આવેલી જોશીની ખકડીમાં પાણી પ્રેશરથી ન આવતુ હોવાની સમસ્યા સજૉઈ હોવાની રજૂઆત સ્થાનિક લોકોએ પાલીકા માં કરતા વોટર વર્કસ શાખાના કર્મચારીઓએ સ્થળ પર આવી ખાડો ખોદવાની કામગીરી શરૂ કરતા નંદાપરાની ખડકીના રહીશોને પાલિકાના કમૅચારીઓ વાલ્વ બંધ કરવા આવ્યા હોવાની ખોટી માહિતી મળતા તેઓએ નગરપાલિકાના કર્મચારીઓનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે પાલિકા ના કર્મચારીઓ ખાડો ખોદીને નવીન નાખેલા વાલ્વને બંધ કરવા નહીં પરંતુ તેને સેટ કરીને નંદાપરાની ખડકી સહિત જોશીની ખડકીમાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ નંદાપરાની ખડકીના સ્થાનિક રહીશોએ પોતાનો વિરોધ ચાલું રાખીને ખોદકામ ની કામગીરી અટકાવતાં જોષીની ખડકીમાં રહેતા દુર્ગાપ્રસાદ જોશીએ પણ ચિમકી આપી હતી કે, જો વાલ્વ સેટ કરીને પાલિકા તંત્ર દ્વારા જોષીની ખડકીમાં પ્રેશરથી પાણી નહીં આવે તો આખો રોડ ખોદીને બ્લોક કરી દેવાશે. શહેરના નંદાપરાની ખડકી અને જોષીની ખડકીમાં સજૉયેલ પાણીની સમસ્યા મામલે માગૅ પર બન્ને ખડકી ના રહીશોના ટોળા ઉમટી પડતા વિસ્તારનું વાતાવરણ ગરમાયું હતું.    

સંબંધિત સમાચાર