રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા25 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરમાં દિવાસાના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પિ..!

પાલનપુરમાં દિવાસાના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પિ..!
મૃતક પ્રિયજનોને મનગમતી ચીજ વસ્તુ મૂકી અગરબત્તી કરીને ફૂલ ચડાવ્યાં પાલનપુરમાં દેવીપૂજક સમાજે દિવાસાનો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવ્યો. આ દિવસે, સમાજના લોકોએ સ્મશાનગૃહમાં જઈને તેમના દિવંગત સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ફૂલહાર ચડાવ્યા, અગરબત્તી કરી અને તેમના પ્રિયજનોની મનપસંદ ચીજવસ્તુઓ ત્યાં મૂકી હતી.ખાસ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન પ્રસંગે દેવીપૂજક યુવા સંગઠન દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 100 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગી થશે. દેવીપૂજક સમાજ માટે દિવાસો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે, દૂર દૂર વસતા લોકો પણ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાલનપુર આવે છે. આમ, પાલનપુરમાં દિવાસાનો તહેવાર ભક્તિ અને સેવાના ભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો.

સંબંધિત સમાચાર