રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા25 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરમાં દિવાસાના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પિ..!

પાલનપુરમાં દિવાસાના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પિ..!
મૃતક પ્રિયજનોને મનગમતી ચીજ વસ્તુ મૂકી અગરબત્તી કરીને ફૂલ ચડાવ્યાં પાલનપુરમાં દેવીપૂજક સમાજે દિવાસાનો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવ્યો. આ દિવસે, સમાજના લોકોએ સ્મશાનગૃહમાં જઈને તેમના દિવંગત સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ફૂલહાર ચડાવ્યા, અગરબત્તી કરી અને તેમના પ્રિયજનોની મનપસંદ ચીજવસ્તુઓ ત્યાં મૂકી હતી.ખાસ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન પ્રસંગે દેવીપૂજક યુવા સંગઠન દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 100 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગી થશે. દેવીપૂજક સમાજ માટે દિવાસો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે, દૂર દૂર વસતા લોકો પણ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાલનપુર આવે છે. આમ, પાલનપુરમાં દિવાસાનો તહેવાર ભક્તિ અને સેવાના ભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો.

સંબંધિત સમાચાર