પાલનપુરમાં દિવાસાના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પિ..!

મૃતક પ્રિયજનોને મનગમતી ચીજ વસ્તુ મૂકી અગરબત્તી કરીને ફૂલ ચડાવ્યાં
પાલનપુરમાં દેવીપૂજક સમાજે દિવાસાનો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવ્યો. આ દિવસે, સમાજના લોકોએ સ્મશાનગૃહમાં જઈને તેમના દિવંગત સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ફૂલહાર ચડાવ્યા, અગરબત્તી કરી અને તેમના પ્રિયજનોની મનપસંદ ચીજવસ્તુઓ ત્યાં મૂકી હતી.ખાસ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન પ્રસંગે દેવીપૂજક યુવા સંગઠન દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 100 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગી થશે. દેવીપૂજક સમાજ માટે દિવાસો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે, દૂર દૂર વસતા લોકો પણ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાલનપુર આવે છે. આમ, પાલનપુરમાં દિવાસાનો તહેવાર ભક્તિ અને સેવાના ભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો.
ટેગ્સ:#social responsibility#Cultural Traditions#Community Service#festival celebrations#Tribute to Deceased#Blood Donation Camp#Palanpur Events#Devi Pujak Community#Diwasa Festival#Crematorium Rituals#Memorial Practices#Floral Offerings#Incense Burning#Family Remembrance
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડાપ્રધાનના આગમનથી નાણી બન્યું ‘મોદીમય’ : ભગવાન શામળિયાને નમન કરી સરહદી વિકાસનો રોડમેપ રજૂ કર્યો
6 કલાક પહેલા
બનાસકાંઠામુડેઠા ટોલ પ્લાઝા પર મોંઘવારીનો માર : આવતીકાલથી ટોલ ટેક્સના દરમાં 1 થી 5 ટકાનો વધારો
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથી
11 કલાક પહેલા
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
1 દિવસ પહેલા
