પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મુશ્કેલી ભોગવતા વિદ્યાર્થીઓના મામલે NSUI ની કુલપતિ ને રજુઆત

જીકાસ પોર્ટલ પર PGની એડમિશન પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવશે; કુલપતિ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. GCAS પોર્ટલ પર ચોઇસ ફિલિંગમાં યુનિવર્સિટીનું નામ દેખાતું નથી. જ્યારે ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને એમ.એસ. યુનિવર્સિટી વડોદરા સહિતની અન્ય યુનિવર્સિટીઓના નામ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
ચોઇસ ફિલિંગની પ્રક્રિયા 29 મે.થી શરૂ થઈ છે અને 4 જૂન સુધી ચાલશે. મૌખિક રીતે 15 જૂન પછી યુનિવર્સિટીનું નામ દેખાશે તેવું કહેવાય છે. જોકે, પોર્ટલ પર કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ જોવા ન મળતા અને આ પહેલા યુનિવર્સિટીની 200 થી વધુ કોલેજોની માન્યતા રદ થવાના સમાચારોએ વિદ્યાર્થીઓની ચિંતા વધારી છે.
યુનિવર્સિટી વર્તુળોમાં એવી ચર્ચા છે કે કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓને લાભ આપવા માટે આ પ્રક્રિયા થઈ રહી છે. ઉત્તર ગુજરાતના મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ હવે અન્ય રાજ્યની યુનિવર્સિટીઓમાં કે ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા મજબૂર બની શકે છે.
ત્યારે વિધાર્થીઓના હિતમાં શુક્રવારે પાટણ એનએસયુઆઈ એ કુલપતિને રૂબરૂ મળી સોમવાર સુધી પોર્ટલ ચાલુ નહીં થાય તો વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન આપવાની ચીમકી આપી હતી. આ સમગ્ર મામલે યુનિવર્સિટી કુલપતિ પ્રો.કે.સી. પોરીયાએ વિધાર્થી સંગઠન એન એસયુઆઈ ને જણાવ્યું હતું કે જીકાસ પોર્ટલ પર PGની એડમિશન પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવશે.અને યુનિવર્સિટી પણ વિધાર્થીઓ ની મુશકેલી દુર કરવા હમેશા તત્પર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ટેગ્સ:#Student Welfare#Hemchandracharya North Gujarat University#NSUI#Agitation Threats#GCAS Portal#Postgraduate Admissions#Higher Education Access#Admission Difficulties#Student Concerns#University Recognition Issues#Private Universities#North Gujarat Education#University Administration Response
સંબંધિત સમાચાર
પાટણપાટણ કલેક્ટરનો નિર્ણય NH-68 પ્રોજેક્ટ માટે જમીન વપરાશ પર પ્રતિબંધ લદાયો
5 કલાક પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
1 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
1 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
2 દિવસ પહેલા
