રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ4 મે, 2025| Super Admin

પાટણના ચાર પરિક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં નીટ-યુજીની પરિક્ષા લેવામાં આવી

પાટણના ચાર પરિક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં નીટ-યુજીની પરિક્ષા લેવામાં આવી
પરિક્ષામાં ગેરરીતિ રોકવા વિધાર્થીઓને બે વાર ચેકીંગ કરાયાં; પાટણમાં રવિવારે મેડિકલ પ્રવેશ માટેની નીટ-યુજી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી. પરીક્ષાને લઇને શહેરની પી.પી.જી.એક્સપ્રિમેન્ટલ હાઈસ્કૂલ,કે.કે.ગલ્સૅસ્કૂલ, આદર્શ વિદ્યાલય અને બી.ડી. હાઈસ્કૂલ એમ ચાર કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા પરીક્ષા બપોરે 2 થી સાંજના 5 ના સમય દરમિયાન લેવામાં આવી હતી. બાયોમેટ્રિક વેરિફિકેશનની પ્રક્રિયા લાંબી હોવાથી વિદ્યાર્થીઓને બપોરે 11:00થી 1:30 વાગ્યા સુધી પરિક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું બે તબક્કામાં ચેકિંગ કરવામાં આવેલ જેમાં પ્રથમ તબક્કામાં એન્ટ્રી ગેટ પર મેટલ-ડિટેક્ટરથી ચેકિંગ અને બીજા તબક્કામાં વર્ગખંડમાં પ્રવેશ પહેલા પોલીસ દ્વારા ફિઝિકલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષાના પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક દરમિયાન વિદ્યાર્થીઓને વોશરૂમ જવા દેવામાં આવ્યા ન હતા બાકીના સમયગાળામાં જે વિદ્યાર્થી વોશરૂમ ગયો હતો તેને પરત આવ્યા બાદ ફરીથી બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર