રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા26 માર્ચ, 2025| Super Admin

ઊંઝા તાલુકાના ભવાનીપુરા ગામે આધેડની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાતા ચકચાર

ઊંઝા તાલુકાના ભવાનીપુરા ગામે આધેડની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાતા ચકચાર
ઉનાવા પોલીસ દ્રારા તપાસ હાથ ધરાઇ; ઊંઝા તાલુકાના ભવાનીપુરા વણાગલા ગામના આધેડની તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા તાલુકાના ભવાનીપુરા ગામના અમરતજી મણાજી ઠાકોર ઉવ 50 રહે છે. જેઓ ચૌધરી રઘુભાઈ હરિભાઇના ખેતરમાં ભાગેથી જમીન વાવી ખેતી કરે છે તેમજ ભેંસોની ઘાસચારાની મજૂરી કરે છે. જેઓની ગઇકાલે સાંજે કોઈ પણ સમયે કોઈ અગમ્ય કારણોસર વણાગલા ગામની સીમમાં આવેલ વડવાળા આંટામાં ઠાકોર ઉમેદજી ના ખેતરમાં આવેલ બોરની બાજુમા ખુલ્લી જગ્યામાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કોઈ અગમ્ય કારણોસર ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યું હતું. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે મરણ જનારના કાકાના દીકરા નાગુજી કાળુજી ઠાકોરના નિવેદનને આધારે ઉનાવા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ કે ઓ રબારીએ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર