ઊંઝા તાલુકાના ભવાનીપુરા ગામે આધેડની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાતા ચકચાર

ઉનાવા પોલીસ દ્રારા તપાસ હાથ ધરાઇ; ઊંઝા તાલુકાના ભવાનીપુરા વણાગલા ગામના આધેડની તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા તાલુકાના ભવાનીપુરા ગામના અમરતજી મણાજી ઠાકોર ઉવ 50 રહે છે. જેઓ ચૌધરી રઘુભાઈ હરિભાઇના ખેતરમાં ભાગેથી જમીન વાવી ખેતી કરે છે તેમજ ભેંસોની ઘાસચારાની મજૂરી કરે છે. જેઓની ગઇકાલે સાંજે કોઈ પણ સમયે કોઈ અગમ્ય કારણોસર વણાગલા ગામની સીમમાં આવેલ વડવાળા આંટામાં ઠાકોર ઉમેદજી ના ખેતરમાં આવેલ બોરની બાજુમા ખુલ્લી જગ્યામાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કોઈ અગમ્ય કારણોસર ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યું હતું. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે મરણ જનારના કાકાના દીકરા નાગુજી કાળુજી ઠાકોરના નિવેદનને આધારે ઉનાવા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ કે ઓ રબારીએ હાથ ધરી છે.
ટેગ્સ:#Violent Crime#Community Safety#Rural Crime#murder investigation#Local Law Enforcement#Unsolved Crimes#Victim Profile#Police Procedural#Forensic Evidence#Public Concern
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝા પાલિકા એક્શન મોડમાં: ચોમાસા પૂર્વે જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા કડક ચેતવણી
1 દિવસ પહેલા
મહેસાણાવડનગરના ઐતિહાસિક મંદિરમાં વિવાદનો અંત: મધરાતે સરકારી પ્રશાસકે ચાર્જ સંભાળ્યો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો: શોભાસણની સકર ડેરીમાંથી અખાદ્ય કેરી અને રસનો જથ્થો ઝડપાયો
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝાના કહોડામાં જન કલ્યાણ શિબિર યોજાઈ: ગ્રામજનોએ વિવિધ યોજનાઓનો લાભ લીધો
1 દિવસ પહેલા
