રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા2 જૂન, 2025| Super Admin

ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને બનાસકાંઠા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને બનાસકાંઠા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયસંગત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજજ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈને આજરોજ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલએ સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયસંગત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય એ માટે પૂરતી તૈયારીઓ થવી જરૂરી છે. તેમણે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વિભાગને જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. આ સાથે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવે તે માટે તમામ નોડલ અધિકારી અને પ્રાંત અધિકારીઓને આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરાવવા માટે સૂચના આપી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરીનું યોગ્ય સંકલન અને સુપરવિઝન માટે જરૂરી સૂચનો કર્યા હતા.

સંબંધિત સમાચાર