રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા20 ફેબ્રુઆરી, 2025| Super Admin

કડી; મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવતાં ચકચાર

કડી; મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવતાં ચકચાર
કડી તાલુકાના આદુન્દ્રા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતીની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોએ ગુરુવારે કેનાલમાં તરતી લાશો જોઈને, તુરંત કડી પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, યુવક અને યુવતીએ એકબીજાના હાથ દુપટ્ટાથી બાંધીને કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કડી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 50 કિલોમીટરથી વધુ લંબાઈમાં મુખ્ય નર્મદા કેનાલ અને માઈનોર કેનાલ પસાર થાય છે. કરણનગર વાય જંક્શન પાસેથી નર્મદા કેનાલના બે વિભાગ થાય છે - એક ઉત્તર ગુજરાત તરફ અને બીજો સૌરાષ્ટ્ર તરફ. આ કેનાલમાંથી વારંવાર લાશો મળવાની ઘટનાઓ બનતી રહે છે. પોલીસે હાલ બંને મૃતકોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. અને તેમના પરિવારજનોની શોધખોળ ચાલુ છે.

સંબંધિત સમાચાર