રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા5 ઑગસ્ટ, 2025| Super Admin

જાબડીયા ગામમાં કિસાન મોરચા દ્વારા 'એક પેડ માં કે નામ' કાર્યક્રમ યોજાયો

જાબડીયા ગામમાં કિસાન મોરચા દ્વારા 'એક પેડ માં કે નામ' કાર્યક્રમ યોજાયો

જાબડીયા ગામના શ્રી રામાપીર મંદિરમાં કિસાન મોરચા દ્વારા 'એક પેડ માં કે નામ' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણ લક્ષી પહેલમાં અને ભીલડી મંડળના પૂર્વ પ્રમુખ પાનસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જાબડીયા ગામના લોકપ્રિય સરપંચ લાલસિંહ  સોલંકી, ગામના અગ્રણીઓ અને યુવાન મિત્રો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ કિસાન મોરચા દ્વારા પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવતી પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને ગ્રામીણ સ્તરે પર્યાવરણ જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશે.

સંબંધિત સમાચાર