એક સપ્તાહ અગાઉ વાવ માં કપિરાજે આંતક મચાવી 5 થી વધુ લોકો ને બચકાં ભર્યા હતા અને પીડિતો ને સારવાર લેવાની ફરજ પડી હતી વન વિભાગ ની ટીમે રેસ્કયુ કરી પાલનપુર થી વન વિભાગ ના કર્મચારી ઓ આવી એર ગન થી કપિરાજ ને બે ભાન કરી પીંજરે પૂર્યા હતા જેથી કરી વન વિભાગ ની ટીમે અને લોકો એ હાશકરો અનુભવ્યો હતો. પરંતુ સત્તાવાર જાણવા મળતી માહિતી મુજબ ગતરોજ ફરી પાછો કપિરાજે આતંક મચાવી વાવ શહેરના હરિયાસર માતાજી ના મન્દિર માં પથર કામ નું કામ કરતા કારીગર ને બચકાં ભરતાં સારવાર લેવાની ફરજ પડી હતી. વધુ માં અન્ય કેટલાય મોરનીગ માં ચાલવા જતા લોકો ને કરડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બે દિવસ અગાઉ વન વિભાગ ના પીંજરે પુરાયેલા કપિરાજ તો વનવિભાગ ની નજર કેદ છે. પરંતુ બીજા અન્ય તોફાની કપિરાજે આંતક મચાવ્યો હોઈ આ કપિરાજ ને વનવિભાગ પીંજરે પુરી લોકો ને કપિરાજ ના ભય માંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ છે. લોક મુખે ચર્ચાતી વાતો મુજબ બે દિવસ અગાઉ વન વિભાગ મારફત પીંજરે પુરાયેલ કપિરાજ કોઈ અન્ય હશે જ્યારે તોફાની કપિરાજ હજુ વન વિભાગ ની પક્કડ બહાર હોય તેવું જણાઈ રહ્યું છે.
વાવ માં ફરી પાછો કપિરાજનો આંતક બે લોકો ને બચકાં ભર્યા સારવાર લેવાની ફરજ પડી

ટેગ્સ:#Emergency Response#Public Safety Concerns#Public Demand for Action#Wildlife Management#Forest Department Response#Vav City#Community Panic#Local Incidents#Kapiraj Incident#Animal Attacks#Treatment for Bites#Air Gun Rescue#Animal Control Challenges#Stone Worker Attack
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પરપ્રાંતિયોની બેરોકટોક ઘૂસણખોરી પોલીસ તપાસમાં અનેક રહસ્યો ખૂલવાની શક્યતા
23 કલાક પહેલા
બનાસકાંઠાદાંતીવાડા: નાની મહુડી પાસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ₹20.78 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાજૂનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની ગ્રામજનોની માંગ બુલંદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ગેરકાયદેસર શોપિંગનું બાંધકામ દૂર કરવા મિલકત ધારકને 15 મે સુધીનું અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
