બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો અલગ કરવાની જાહેરાત ડિસેમ્બર 2024 માં કરવામાં આવી હતી. ત્યારે કાંકરેજ તાલુકા પ્રજા એ એજ દિવસે શિહોરીના લોકો તેમજ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને બજારમાં રેલી નીકળી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને કાંકરેજ તાલુકા ને બનાસકાંઠા મા રાખવા માંગણી કરી હતી. બીજા જ દિવસે થરા શિહોરી કંબોઇની બજારો બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને કાંકરેજને બનાસકાંઠામાં રાખવા માંગ કરી હતી. ત્યારબાદ કાંકરેજને બનાસકાંઠામાં રાખવામાં આવેલ અને થરા .વિસ્તારના વેપારીઓ અને પ્રજાને થરા તરફથી શિહોરી માં સરકારી કામકાજ માટે તાલુકા મથક શિહોરી દૂર પડતું હોવાની અને થરાને તાલુકા મથકની દરજો આપવા રજૂઆત કરવામાં આવેલ. અને થરા તાલુકાનો દરજ્જો આપવા સરકાર પાસે માંગણી કરી હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આજ રોજ તાલુકાના વિભાજનની જાહેરાત કરવામાં આવતા કાંકરેજમાંથી એક તાલુકો અલગ કરવામાં આવ્યો છે. જેનુ નામ ઓગડ નામ આપવામાં આવ્યું છે જેથી લોકોમા ખુશી જોવા મળી રહી છે. કારણ કે થરા બાજુના ગામોના લોકોને શિહોરી ચાલીસ કિલોમીટરનુ અંતર થતું તે અંતર ઘટી જશે ત્યારે ઓગડ તાલુકાનુ મુખ્ય મથક થરા અથવા દરેક સમાજના આસ્થાનું કેન્દ્ર ઓગડ જાગીર મઠ ખાતે રાખવામાં આવે તો ખુબ સરસ જગ્યા છે. અને આમ કાંકરેજ તાલુકામાંથી બે તાલુકા બનતા બંને તાલુકાની પ્રજામાં આનંદની લાગણી છવાઈ છે.
કાંકરેજ તાલુકાનું વિભાજન કરી બે નવા તાલુકા જાહેર થતાં કાંકરેજની પ્રજામાં હર્ષોલ્લાસ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાહની ટ્રેપનો પર્દાફાશ: આધેડ કોન્ટ્રાક્ટરને ચંડીસર બોલાવી રૂ. 5 લાખ પડાવ્યા, બેની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાછાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર
1 દિવસ પહેલા
