રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા3 ઑગસ્ટ, 2025| Super Admin

ભાભરમાં જૈન આગેવાનો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત..!

ભાભરમાં જૈન આગેવાનો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત..!
પર્યુષણ મહા પર્વ દરમિયાન વિસ્તારમાં કતલખાના ની દુકાનો બંધ રાખવાની માંગ; અહિંસા પરમો ધર્મને વરેલા જૈન સમાજના મહા પર્વ પર્યુષણની ઉજવણી કરવામાં આવનાર હોવાથી જૈન સમાજના આગેવાનો દ્વારા ભાભર વિસ્તારમાં ચાલતી કતલખાનાની દુકાનો બંધ કરાવવા પાલિકાના ચીફ ઓફિસર પાયલ દેસાઈને અધ્યાત્મ પરિવાર ટ્રસ્ટના નેજા હેઠળ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભાભર વિસ્તારમાં ચાલતા કતલખાના સહિત માંસની દુકાનો તા. ૨૦/૮/૨૫ થી તા. ૨૭/૮/૨૫ સુધી બંધ રાખવા જૈન ધર્મના આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. પર્યુષણ મહા પર્વ જૈન ધર્મનો મોટો તહેવાર ગણાય છે. જેમાં પ્રર્વતન એટલે કે અહિંસાનું પાલન જૈન ધર્મમાં માનનાર લોકો માટે મહત્વનું છે. તેથી પર્યુષણ પર્વાધિરાજના ૯ દિવસ દરમિયાન પાલિકા વિસ્તારમાં હિંસા કાર્ય બંધ રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર