રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રમતગમત6 મે, 2026| Super Admin

અમદાવાદમાં રમાશે IPL 2026ની ગ્રાન્ડ ફિનાલે, પ્લેઓફનું શેડ્યૂલ જાહેર

અમદાવાદમાં રમાશે IPL 2026ની ગ્રાન્ડ ફિનાલે, પ્લેઓફનું શેડ્યૂલ જાહેર

અમદાવાદ: વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL 2026 હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પ્લેઓફ મુકાબલાઓનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. સૌથી મહત્વના સમાચાર એ છે કે, આ સીઝનનો ખિતાબી જંગ એટલે કે ગ્રાન્ડ ફિનાલે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

અમદાવાદમાં ચોથી વખત IPL ફાઈનલની મેજબાની
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સતત બીજા વર્ષે અને કુલ ચોથી વખત IPL ફાઈનલની મેજબાની કરવા જઈ રહ્યું છે. અગાઉ 2022, 2023 અને 2025માં પણ અહીં જ ફાઈનલ રમાઈ હતી. ગત વર્ષે (2025) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબને હરાવી ખિતાબ જીત્યો હતો, ત્યારે આ વર્ષે પણ અમદાવાદના મેદાન પર કઈ ટીમ ચેમ્પિયન બને છે તેના પર સૌની નજર રહેશે.

કેમ બેંગલુરુથી અમદાવાદ મેચ શિફ્ટ થઈ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલા ફાઈનલની યજમાની બેંગલુરુને સોંપવામાં આવી હતી. જોકે, ત્યાંના સ્થાનિક એસોસિએશન અને અધિકારીઓની કેટલીક માંગણીઓ BCCIના પ્રોટોકોલ સાથે સુસંગત ન હોવાથી વિવાદ સર્જાયો હતો. પરિણામે, BCCIએ સ્થળ બદલવાનો નિર્ણય લીધો અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદને ફરી એકવાર ફાઈનલની જવાબદારી સોંપી છે.

નોકઆઉટ મુકાબલાઓનું શેડ્યૂલ
પ્લેઓફની શરૂઆત 26 મેના રોજ ક્વોલિફાયર-1 થી થશે. આ વખતે નોકઆઉટ મેચો ધર્મશાલા અને ચંદીગઢ જેવા શહેરોમાં પણ રમાશે. હાલ ટુર્નામેન્ટમાં 48 મેચો પૂર્ણ થઈ ચૂકી છે અને 70 મેચોના અંતે પ્લેઓફની ચાર ટીમો નક્કી થશે.

સંબંધિત સમાચાર