રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા30 મે, 2026| Super Admin

ડીસામાં આમ આદમી પાર્ટીની ચિંતન બેઠકમાં આંતરીક કકળાટ

ડીસામાં આમ આદમી પાર્ટીની ચિંતન બેઠકમાં આંતરીક કકળાટ

ડીસાની હિંદુ ધર્મશાળા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વિધાનસભાની ચૂંટણીના સમયની રણનીતિ અને સંગઠનાત્મક મજબૂતી પર ચર્ચા કરવાનો હતો. આ બેઠકમાં ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટી વતી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. પક્ષ દ્વારા આ ઉમેદવારોને સન્માનપત્ર આપીને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું અને ચૂંટણી દરમિયાન તેમના ઉત્સાહને વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે  બેઠકમાં સંગઠન સામે કાર્યકરોનો આક્રોશ જોવા મળ્યો હતો  સન્માન કાર્યક્રમ બાદ બેઠકનો માહોલ તંગ બની ગયો હતો. ચિંતન બેઠકમાં જ કાર્યકરોએ પ્રદેશ અને જિલ્લા સંગઠન સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, દિલ્હીથી આવેલા અમુક જવાબદાર કાર્યકર્તાઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક કાર્યકરોની અવગણના થઈ રહી છે.

​બેઠકમાં ઉપસ્થિત  પાયાના કાર્યકરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "આજે પાર્ટીમાં સત્ય બોલવું એ એક ગુનો બની ગયો છે. જો અમે પાર્ટી પ્રત્યેની લાગણીથી કોઈ રજૂઆત ન કરી શકીએ, તો કોને કહેવાનું ?" કાર્યકરોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, જિલ્લા સંગઠન અને પ્રદેશના હોદ્દેદારો પાયાના કાર્યકરોની રજૂઆતો સાંભળવા તૈયાર નથી અને અનેકવાર ફોન કરવા છતાં તેઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી.

કાર્યકરોએ પાર્ટીના હોદ્દેદારોને ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, "નેતાઓએ એ વાત સમજી લેવી જોઈએ કે કાર્યકર્તા છે તો જ પાર્ટી છે. જો કાર્યકર્તા જ નારાજ હશે, તો પાર્ટી ક્યારેય મજબૂત થઈ શકશે નહીં." ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોનો હવાલો આપીને કાર્યકરોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સંગઠનની નિષ્ક્રિયતા અને અહમને કારણે પાર્ટીને ભોગવવું પડ્યું છે. ​આ ઘટના બાદ આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ સંગઠન આ નારાજ કાર્યકરોને મનાવવામાં સફળ રહે છે કે પછી આ અસંતોષ આગામી સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરશે ?

સંબંધિત સમાચાર