રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા22 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસાના જોખમ નગરમાં ગટર અને રસ્તા ના મુદ્દે રહીશો આકરાપાણીએ

ડીસાના જોખમ નગરમાં ગટર અને રસ્તા ના મુદ્દે રહીશો આકરાપાણીએ
ડીસાના પાલનપુર હાઇવે પર આવેલ જોખમ નગર સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી ગટર રોડ અને સ્ટ્રીટ લાઈટ ની સમસ્યા થી પરેશાન થઈ ચૂક્યા છે. વોટ લેવા આવતા નેતાઓ ચૂંટણી સમયે આપેલા વચન બાદ કાંઇ કાર્ય કરતા નથી તેમ જણાવી મહિલાઓ આકરા પાણીએ જોવા મળી હતી. ડીસાના જોખમ નગરમાં હજુ સુધી ગટર વ્યવસ્થા કરવામાં આવેલી નથી. જેના કારણે ગંદા પાણીની રેલમ છેલ થતી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કાર્ય થતું નથી. તેમજ નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારો વોટ લેવા ગટર અને રસ્તાનું કામ ઝડપથી થઈ જશે તેવી બાહેધરી આપે છે. પરંતુ ચૂંટણી બાદ કોઈ દેખાતું નથી તેવો બળાપો રહીશો ઠાલવી રહ્યા છે. આ બાબતે તેઓએ ધારાસભ્ય પ્રવીણ માળીને પણ રજૂઆત કરેલી છે પરંતુ હજુ સુધી ગટર કે રસ્તા બાબતના કંઈ ઠેકાણા પડ્યા નથી. આ બાબતે સોસાયટીના રહીશ કાંતિભાઈ ઠક્કર તેમજ મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે નેતાઓ વોટ લેવા આવી જાય છે પરંતુ લોકોની સમસ્યાઓ હલ કરતા નથી.અમે ઘણા સમયથી રજૂઆત કરેલી છે દરેક વખતે આશ્વાસન અપાય છે આથી જો હવે અમારી સમસ્યા હાલ નહીં થાય તો આગામી ચૂંટણી વખતે કોઈને અમે પ્રવેશવા દઈશું નહીં અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું.

સંબંધિત સમાચાર