રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા27 જાન્યુઆરી, 2025| Super Admin

થરાદની થાણાશેરીમાં બે મહિનાથી પાણી ડહોળું આવતા રહીશો પરેશાન

થરાદની થાણાશેરીમાં બે મહિનાથી પાણી ડહોળું આવતા રહીશો પરેશાન
થરાદ શહેરના મુખ્ય બજારમાં જુના ગંજ બજારથી પાલિકા તથા ડૉ માધુના દવાખાનાં સુધીના વિસ્તારમાં બે મહિનાથી નળમાં ગંદુ પાણી આવવાના કારણે રહીશો તથા વેપારીઓને ના છુટકે ડહોળા પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.આ અંગે રહીશોએ અને વેપારીઓએ જણાવ્યું હતુંકે પાલિકાના જવાબદારોને મૌખિક રજુઆત કરીને ધ્યાન દોરવા છતાં| પણ કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. આથી નગરજનોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહીછે.જો કે પાલિકાના સૂત્રોએ કેનાલમાંથી ડહોળું પાણી આવતું હોવાનું જણાવ્યું હતું થરાદ શહેરના જુના ગંજ બજારથી નગરપાલિકા અને ડૉ માધુ સાહેબની શેરીના થાણાશેરી ના મહાલક્ષ્મી વિસ્તારમાં છેલ્લા આઠ અઠવાડીયા જેટલા સમયથી નગરપાલિકા દ્રારા આપવામાં આવતું પાણી એકદમ ડહોળું અને વાસ મારતું આવતું હોવાના કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી રહીછે. રહીશોએ જણાવ્યું હતુકે બળીયા હનુમાનથી નગરપાલિકા અને ડૉ માધુસાહેબના દવાખાના સુધીના વિસ્તારમાં ઘર અને વેપારીઓની દુકાનો આવેલી છે. આ વેપારીઓ તથા રહીશોને ન છુટકે આવા ગંદા પાણીનો વાપરવા માટે તથા ડહોળ હેઠી બેસે ત્યારે તેનો પીવા માટે પણ ઉપયોગ કરવો પડેછે.જેના કારણે રહીશોનું આરોગ્ય જોખમાવાની પણ પુરી દહેશત ફેલાવા પામી છે.આ અંગે રહીશોએ પાલિકામાં બે ત્રણવખત મૌખિક રજુઆતો કરી તેમની સમસ્યાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.તેમ છતાં પણ પાલિકાની ઉદાસીનતાના કારણે પ્રજાજનોને પાણીની સમસ્યાને લઇને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યોછે.જેના કારણે રહીશોમાં ભારોભાર રોષ અને આક્રોશની લાગણી પણ ફેલાયેલી જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર