નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જૂનાગંજ વિસ્તારમાં 6 બાય 24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે સ્થળ પરના તમામ નડતરરૂપ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાયા છે અને ભૂતકાળના આયોજનનું અમલીકરણ હવે શરૂ કરાયુ છે. આ કામગીરી દરમિયાન અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત, એક કાયમી દબાણરૂપ મિલકત તેમજ નડતરરૂપ વિજ પોલને પણ નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન બાદ લોકોને ભાડાપટ્ટે એક સરખી જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. પાલિકા તંત્રની આ કાર્યવાહીથી જૂનાગંજ વિસ્તારમાં ટ્રાફિક અને ભીડની સમસ્યામાં પણ ઘટાડો થશે તેવું ચિફ ઓફિસરે જણાવ્યું હતું.
પાટણના જૂનાગંજમાં નગરપાલિકાએ બુલડોઝર ફેરવી 25થી વધુ દબાણો હટાવ્યા

દબાણ દુર કરી ખુલ્લી જગ્યા પર પાલિકા 6x24 મીટરનો નવો શેડ બનશે
પાટણ નગરપાલિકાએ જૂનાગંજ વિસ્તારમાં વર્ષો જૂના આયોજનને સાકાર કરવા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. નવા શેડના નિર્માણ માટે માર્ગમાં નડતરરૂપ 25થી વધુ લારીઓ અને કાયમી દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જૂનાગંજ વિસ્તારમાં 6 બાય 24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે સ્થળ પરના તમામ નડતરરૂપ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાયા છે અને ભૂતકાળના આયોજનનું અમલીકરણ હવે શરૂ કરાયુ છે. આ કામગીરી દરમિયાન અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત, એક કાયમી દબાણરૂપ મિલકત તેમજ નડતરરૂપ વિજ પોલને પણ નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન બાદ લોકોને ભાડાપટ્ટે એક સરખી જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. પાલિકા તંત્રની આ કાર્યવાહીથી જૂનાગંજ વિસ્તારમાં ટ્રાફિક અને ભીડની સમસ્યામાં પણ ઘટાડો થશે તેવું ચિફ ઓફિસરે જણાવ્યું હતું.
નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જૂનાગંજ વિસ્તારમાં 6 બાય 24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે સ્થળ પરના તમામ નડતરરૂપ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાયા છે અને ભૂતકાળના આયોજનનું અમલીકરણ હવે શરૂ કરાયુ છે. આ કામગીરી દરમિયાન અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત, એક કાયમી દબાણરૂપ મિલકત તેમજ નડતરરૂપ વિજ પોલને પણ નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન બાદ લોકોને ભાડાપટ્ટે એક સરખી જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. પાલિકા તંત્રની આ કાર્યવાહીથી જૂનાગંજ વિસ્તારમાં ટ્રાફિક અને ભીડની સમસ્યામાં પણ ઘટાડો થશે તેવું ચિફ ઓફિસરે જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
22 કલાક પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
22 કલાક પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
22 કલાક પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
2 દિવસ પહેલા
