નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જૂનાગંજ વિસ્તારમાં 6 બાય 24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે સ્થળ પરના તમામ નડતરરૂપ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાયા છે અને ભૂતકાળના આયોજનનું અમલીકરણ હવે શરૂ કરાયુ છે. આ કામગીરી દરમિયાન અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત, એક કાયમી દબાણરૂપ મિલકત તેમજ નડતરરૂપ વિજ પોલને પણ નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન બાદ લોકોને ભાડાપટ્ટે એક સરખી જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. પાલિકા તંત્રની આ કાર્યવાહીથી જૂનાગંજ વિસ્તારમાં ટ્રાફિક અને ભીડની સમસ્યામાં પણ ઘટાડો થશે તેવું ચિફ ઓફિસરે જણાવ્યું હતું.
પાટણના જૂનાગંજમાં નગરપાલિકાએ બુલડોઝર ફેરવી 25થી વધુ દબાણો હટાવ્યા

દબાણ દુર કરી ખુલ્લી જગ્યા પર પાલિકા 6x24 મીટરનો નવો શેડ બનશે
પાટણ નગરપાલિકાએ જૂનાગંજ વિસ્તારમાં વર્ષો જૂના આયોજનને સાકાર કરવા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. નવા શેડના નિર્માણ માટે માર્ગમાં નડતરરૂપ 25થી વધુ લારીઓ અને કાયમી દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જૂનાગંજ વિસ્તારમાં 6 બાય 24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે સ્થળ પરના તમામ નડતરરૂપ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાયા છે અને ભૂતકાળના આયોજનનું અમલીકરણ હવે શરૂ કરાયુ છે. આ કામગીરી દરમિયાન અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત, એક કાયમી દબાણરૂપ મિલકત તેમજ નડતરરૂપ વિજ પોલને પણ નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન બાદ લોકોને ભાડાપટ્ટે એક સરખી જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. પાલિકા તંત્રની આ કાર્યવાહીથી જૂનાગંજ વિસ્તારમાં ટ્રાફિક અને ભીડની સમસ્યામાં પણ ઘટાડો થશે તેવું ચિફ ઓફિસરે જણાવ્યું હતું.
નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જૂનાગંજ વિસ્તારમાં 6 બાય 24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે સ્થળ પરના તમામ નડતરરૂપ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાયા છે અને ભૂતકાળના આયોજનનું અમલીકરણ હવે શરૂ કરાયુ છે. આ કામગીરી દરમિયાન અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત, એક કાયમી દબાણરૂપ મિલકત તેમજ નડતરરૂપ વિજ પોલને પણ નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન બાદ લોકોને ભાડાપટ્ટે એક સરખી જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. પાલિકા તંત્રની આ કાર્યવાહીથી જૂનાગંજ વિસ્તારમાં ટ્રાફિક અને ભીડની સમસ્યામાં પણ ઘટાડો થશે તેવું ચિફ ઓફિસરે જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
પાટણપાટણ કલેક્ટરનો નિર્ણય NH-68 પ્રોજેક્ટ માટે જમીન વપરાશ પર પ્રતિબંધ લદાયો
15 કલાક પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
1 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
1 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
2 દિવસ પહેલા
