રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા9 નવેમ્બર, 2024| Super Admin

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં છતના પોપડા ખરતા એક કર્મચારીને ઇજા

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં છતના પોપડા ખરતા એક કર્મચારીને ઇજા

ત્રીજા માળે આઇસીડીએસ શાખા બહાર પોપડા ખર્યા બનાસકાંઠા જિલ્લા પંચાયતની વર્ષોજુની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. ત્યારે જિલ્લા પંચાયતની આઈસીડીએસ વિભાગની કચેરી ની બહારની બાજુએ છતમાંથી પોપડા ખરતા એક કર્મચારીને ઇજા પહોંચી હતી. 

બનાસકાંઠા જિલ્લા પંચાયતની ઇમારત વર્ષો જૂની છે. જે જર્જરિત ઇમારતની છત માંથી અવાર નવાર પોપડા ખરવાના બનાવો બની રહ્યા છે. ત્યારે ફરી એકવાર ત્રીજા માળે આવેલી આઇસીડીએસ કચેરી બહારની છતના પોપડા ખર્યા હતા. જેમાં વર્ગ-3 નો કર્મચારી કચેરીની બહાર નીકળતા જ ઘાયલ થયો હતો. જેને તાત્કાલીક પાલનપુરની નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના કમરના ભાગે સામાન્ય ઇજા થતાં સારવાર આપીને તેને રજા આપવામાં આવી હતી. આમ, જર્જરિત કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને અરજદારોની સલામતી રામભરોસે હોવાની પ્રતીતિ થઇ રહી છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા કચેરીનું રીનોવેશન થાય તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર