ધાનેરા તાલુકાના વોડા ગામમાંથી પ્રાઇવેટ સોલાર કંપનીની ૧૧ કેવીની હેવી વીજલાઇન પસાર થાય છે. પરંતુ આ હેવી વીજલાઇન પશુ પંખીઓ માટે ઘાતક પુરવાર થઈ રહી છે. તેમાંય ખાસ કરીને પર ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર માટે તો આ વીજલાઈન નર્ક સમાન બની ગઈ છે. અઠવાડિયામાં ચારથી પાંચ જેટલા મોર અહીં વીજ કરંટના કારણે મોતના મુખમાં ધકેલાય છે.આ ઉપરાંત અનેક વાનરો પણ આ લાઈનના લીધે મૃત્યુ પામ્યા છે જેની કોઈ સીમા નથી. ગામના જીવદયા પ્રમીઓ દ્વારા નિર્દોષ પશુ પંખીઓને મરતા બચાવવા માટે યોગ્ય નિરાકરણ લાવવા સોલાર કંપનીને અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં સોલાર કંપની કંઇપણ પગલા લેતી નથી.જેના કારણે છેલ્લાં છ મહિનાથી અહીંયા કેટલાય મોર અને વાંદરા આ લાઈન પર મૃત્યુના ભોગ બની રહ્યા છે.હવે કંપની આ મામલાને ગંભીરતાથી લે છે કે કેમ ? એ જોવાનું રહ્યું.
ધાનેરાના વોડા ગામની હેવી વીજલાઇન હજુ કેટલા રાષ્ટ્રીય પક્ષી મોરનો ભોગ લેશે?

ટેગ્સ:#Community Advocacy#Animal Welfare#Dhanera Taluka#Environmental Concerns#Human-Wildlife Conflict#Conservation Efforts#Wildlife Protection#Electrical Safety#Peacock Electrocution#Voda Village#Power Line Hazards#Solar Company Accountability#National Bird of India#Urgent Action Needed
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામમાં વિકાસનો હુંકાર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જનમેદની ઉમટી
9 કલાક પહેલા
બનાસકાંઠાઅમીરગઢનું વેરા ગામ આક્રમક: પડતર પ્રશ્નો ઉકેલાતા 'ચૂંટણી બહિષ્કાર'નો નિર્ણય
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં અકસ્માતની વણઝાર: મુડેઠા પુલ પર બે વાહનો વચ્ચે ટક્કર, ડાલા ચાલક ઘાયલ
10 કલાક પહેલા
બનાસકાંઠા'તેરા તુજકો અર્પણ': ડીસા પોલીસે ₹1.32 લાખની કિંમતના મોબાઈલ માલિકોને પરત કર્યા
10 કલાક પહેલા
