એચએમપીવી વાઇરસનો કેસ અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે અને ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. ત્યારે હિંમતનગર સિવિલમાં પણ આઇસોલેશન વોર્ડમાં 5 બેડ તૈયાર કરાયા છે. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. આશિષ કટારકરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, HMPV એટલે હ્યુમન મેટાન્યુમો વાઇરસ. આ વાઇરસથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. માત્ર સાવચેતી જરૂરી છે. તો આ વાઇરસને લઈને હિંમતનગર સિવિલમાં તૈયારીના ભાગરૂપે સિવિલના ચોથા માળે 57 નંબરમાં આઇસોલેશન વોર્ડ બનાવેલો છે. જેમાં 14 બેડ પૈકી પાંચ બેડ તૈયાર કરાયા છે. હાલમાં રોજના અંદાજે સરેરાશ 1200 જેટલી ઓપીડી નોંધાય છે. તો ડિસેમ્બર માસમાં 24000 ઓપીડી નોંધાઈ હતી, જેમાં બાળકોના 1150, મેડિસિન 6500, ગાયનેક 1668, જનરલ સર્જરી 2000, ઇએનટી વિભાગના 1400, કેજ્યુએલટીના 3300 જેટલા અંદાજે કેસો નોંધાય હતા. ત્યારે હાલ સુધી કોઈ કેસ આ સિવિલમાં નોંધાયો નથી. તો આ પરિસ્થિતિ સામે સિવિલ હોસ્પિટલ તૈયાર છે.
એચએમપીવી વાયરસ : સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં પાંચ બેડ તૈયાર કરાયા

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ બેઠક યોજાઈ
22 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર પાલિકા: મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કરોડોના કામનું ખાતમુહૂર્ત
22 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં રામમંદિરના દાન મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં મેઘતાંડવ: એક કલાકમાં ૨ ઇંચ વરસાદથી હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ
2 દિવસ પહેલા
