એચએમપીવી વાઇરસનો કેસ અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે અને ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. ત્યારે હિંમતનગર સિવિલમાં પણ આઇસોલેશન વોર્ડમાં 5 બેડ તૈયાર કરાયા છે. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. આશિષ કટારકરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, HMPV એટલે હ્યુમન મેટાન્યુમો વાઇરસ. આ વાઇરસથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. માત્ર સાવચેતી જરૂરી છે. તો આ વાઇરસને લઈને હિંમતનગર સિવિલમાં તૈયારીના ભાગરૂપે સિવિલના ચોથા માળે 57 નંબરમાં આઇસોલેશન વોર્ડ બનાવેલો છે. જેમાં 14 બેડ પૈકી પાંચ બેડ તૈયાર કરાયા છે. હાલમાં રોજના અંદાજે સરેરાશ 1200 જેટલી ઓપીડી નોંધાય છે. તો ડિસેમ્બર માસમાં 24000 ઓપીડી નોંધાઈ હતી, જેમાં બાળકોના 1150, મેડિસિન 6500, ગાયનેક 1668, જનરલ સર્જરી 2000, ઇએનટી વિભાગના 1400, કેજ્યુએલટીના 3300 જેટલા અંદાજે કેસો નોંધાય હતા. ત્યારે હાલ સુધી કોઈ કેસ આ સિવિલમાં નોંધાયો નથી. તો આ પરિસ્થિતિ સામે સિવિલ હોસ્પિટલ તૈયાર છે.
એચએમપીવી વાયરસ : સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં પાંચ બેડ તૈયાર કરાયા

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં હિંમતનગર નગરપાલિકા ખાતે ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
3 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલી પોલીસે કોંગ્રેસના ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી; ગાંધીનગર કિસાન યાત્રામાં જતાં જ રોક્યા
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાની તલોદ પોલીસની મોટી સફળતા: ડીઝલ ચોરી કરતી ટોળકીના બે સાગરીતો ઝડપાયા
6 દિવસ પહેલા
સાબરકાંઠાઈડરથી ‘પ્રગતિ પથયાત્રા’નો ભવ્ય પ્રારંભ: સાંસદ શોભનાબેન બારૈયાએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી
1 અઠવાડિયા પહેલા
